Author: gujarat

Devayat Khavad Arrested: ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. સીસીટીવીમાં થયો હતો કેદ મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસે માહિતી મળતાની સાથે તુરંત કાર્યવાહી હાથ ધરી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ, પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી…

Read More

વડોદરાના સિહોરા ગામે રહેતો યુવક બાઈક ઉપર ચકલાસીથી સિહોરા ગામે જતા રસ્તામાં પડેલા ખાડામાં બાઈક પડતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત નડ્યોઆણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે કેનાલથી આગળ કોટ ચોકડી થઈ જેસાપુરા તરફ જતા રોડ ઉપર પડેલા ખાડામાં બાઈક પડતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેમાં બાઈકચાલક પતિ, પત્ની અને પુત્રી રોડ પર પટકાયા હતા. જેથી પત્નીને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું, જ્યારે પિતા-પુત્રીને ઈજા થયાની ફરિયાદ ઉમરેઠ પોલીસમથકમાં નોંધાઈ છે.વડોદરાના ડેસર તાલુકાના જુના સિહોરા ગામે કુવાવાળા ફળીયામાં ૩૦ વર્ષીય અજીતસિંહ ભીમસિંહ પરમાર પોતાના પત્ની રંજનબેન, બે વર્ષીય દીકરી પ્રિયાંસી સહિતના પરિવાર સાથે રહે છે.…

Read More

હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનના નિરીક્ષણ સાથે, ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆતસાબરકાંઠા જિલ્લામાં સદીથી વધુ સમયથી જીવનરેખા તરીકે સેવાઓ આપતું ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક, જે હિંમતનગરને ખેડબ્રહ્મા જોડતો ઐતિહાસિક મીટર ગેજ ટ્રેક છે, જે હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપે ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જે ઝડપી, સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ રેલ સેવાઓનું વચન આપે છે.હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ, જે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમી સુધી ફેલાયેલો છે, તેને 2 જૂન 2022ના રોજ ₹482 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત જૂના મીટર ગેજને મજબૂત બ્રોડ ગેજ ટ્રેકથી બદલવામાં આવી રહ્યો છે, જે વધુ ઝડપ, આરામદાયક મુસાફરી અને વધારેલી…

Read More

Ahmedabad Riverfront news: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક મહિલા તેની બે વર્ષની દીકરીને લઈને નદીમાં કૂદી પડી હતી. આ દરમિયાન કરુણ દૃશ્યો સર્જાયા હતા કેમ કે માતા તો મરી ગઈ હતી પરંતુ તેના મૃતદેહ પર જીવવા માટે વલખાં મારતી દીકરી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. શું હતી ઘટના? માહિતી અનુસાર આ ઘટના 15 ઓગસ્ટ એટલે કે ગઈકાલે સાંજે બની હતી. દીકરીને બચાવી લેવામાં આવી હતી પરંતુ ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે તે મોડી રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ પામી ગઈ હતી. આ ઘટના ઉસ્માનપુરા વિસ્તારના રિવરફ્રન્ટ વિસ્તારમાં સાંજે 6…

Read More

ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયશિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે-ચાલુ વર્ષથી અમલØમાત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવØવિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશેØશિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મુકાશેØમાર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન,કૌશલ્ય અને મૂલ્યોનો ત્રિ-આયામી વિકાસ થશેØગુજરાતની આ પહેલ“જેવું શિક્ષણ,તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિતશિક્ષણમાં ગુણવત્તા વધારવા,શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય…

Read More

Ahmedabad AMC demolition woman suicide death: અમદાવાદમાં ગુરૂવારે (14 ઓગસ્ટ) જશોદાનગરમાં રોડ પર દુકાનોના ડિમોલિશન કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ દરમિયાન ડિમોલિશનની કામગીરીના વિરોધમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી. પરંતુ, શનિવારે (16 ઓગસ્ટ) મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ પરિવારનો હોબાળો મળતી માહિતી મુજબ, ગુરૂવારે જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.…

Read More

બેન્કના અધિકારી હોવાની ઓળખ આપી વડોદરાના છાણી ખાતે BOBમાં તમારા પતિએ મુકેલા રૂ.૯ લાખમાંથી ૨.૫૦ લાખ આપીશ બાકી બેન્કમાં જમા રહેશે તેમ કહી ખેલ પાડ્યોવડોદરા,વડોદરાના દુમાડ ખાતે રહેતા મહિલા છાણી બેન્ક ઓફ બરોડા ખાતે પેન્શનની પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગયા હતા. ત્યારે બે ગઠિયા તેમની પાસે આવ્યા હતા અને તેઓએ બેન્કના અધિકારી છે તમારા પતિએ રૂ.૯ લાખ બેન્કમાં મુક્યા છે તેમાંથી તમને રૂ.૨.૫૦ લાખ આપીશું બાકી બેન્કમાં રહેશે તેમ કહી ફોર્મ ભરવાના બહાને દાગીના ઉતરાવી ફોટો પડાવ્યો હતો.ત્યારબાદ માજી તમે અહિયા બેસો અમે સહી સિક્કા કરાવી આવીએ છીએ તેમ કહી ફરાર થઈ ગયા હતા. જેથી રૂ.૫૦ હજાર લઇ ભાગી ગયેલા…

Read More

૨ લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામપોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતદેહોને ટ્રેલરની બહાર કાઢ્યા અને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતાબનાસકાંઠા,બનાસકાંઠાના પાંથાવાડા ગુંદરી હાઇવે પર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં બે ટ્રેલર ટ્રક સામ-સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાલ બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. બનાસકાંઠાના પાંથાવાડા ગુંદરી હાઇવે પર બુધવારેવહેલી સવારે બે ટ્રેલર ટ્રક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જોકે, બંનેના મૃતદેહ ટ્રેલરમાં જ ફસાઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.…

Read More

શાળા જેવા પવિત્ર સ્થળે દારૂનું સેવન કરવું એ એક ગંભીર ગુનો બને છે અને પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી નવસારી, નવસારી જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં મરોલી પોલીસે આસણા ગામની એક બંધ શાળાના ઓટલા પર દારૂ પાર્ટી કરતા ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી.જાહેર સ્થળે ખાસ કરીને શાળા જેવા પવિત્ર સ્થળે દારૂનું સેવન કરવું એ એક ગંભીર ગુનો બને છે. અને પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મરોલી પોલીસને બાતમી મળી હતી કે આસણા ગામમાં આવેલી એક બંધ શાળાના ઓટલા પર કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે.આ માહિતીના આધારે મરોલી પોલીસની…

Read More

રાજ્યમાં ૧૪૭૮ કરોડ કરતા વધુના મૂડીરોકાણને મંજૂરીકુલ ૧૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતીગાંધીનગર, રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અંતર્ગત અંદાજે ૧.૪૭ લાખ કરોડના મૂડીરોકાણ સાથે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન કરવામાં આવશે.ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ ૧૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જેનાથી રાજ્યમાં અંદાજિત ૪૧૩૬ જેટલી નવી રોજગારીનું સર્જન થશે.આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી…

Read More