Author: gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા‘ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલદોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિપોલીસની અશ્વ રેલી, બાઈક રેલી, પોલીસ બેન્ડની સુરાવલીઓ, બીએસએફ જવાનો, એનસીસી તેમજ શાળાનાં બાળકો વચ્ચે માહોલ બન્યો દેશભક્તિમયતિરંગા યાત્રામાં અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ૪ ટેબ્લો ‘સ્વચ્છ શહેર અમદાવાદ‘, ‘ ઓપરેશન સિંદૂર‘, ‘ ગૌ ગણેશ‘, ‘મિશન ૪ મિલિયન ટ્રી‘ જોવા મળ્યામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં…

Read More

રક્ષાબંધનના તહેવાર દરમિયાન પણ કુલ ૩,૩૪,૦૦૦ મુસાફરોએ એસટીમાં મૂસાફરીનો લાભ લીધો હતોઅમદાવાદ, જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે, જન્માષ્ટમી તહેવાર માટે કુલ ૧,૨૦૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.જન્માષ્ટમીના તહેવારને લઈને મુસાફરોએ એસટી બસમાં મૂસાફરી કરવા માટે એડવાન્સ બુકિંગ કરાવવાનો ભારે ઘસારો જોવા મળ્યો છે.છેલ્લા ૪૮ કલાકમાં કુલ ૧,૯૮,૬૬૭ સીટોનું ઓનલાઈન બુકિંગ થઇ ચૂક્્યું છે. આ આંકડો દર્શાવે…

Read More

જે કોઈપણ રાજકીય વ્યક્તિ આ કામ કરતા હશે તેના વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી થશે.(એજન્સી)અમદાવાદ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રસ્તાની આસપાસના દબાણો મોટો માથાનો દુખાવો બની ગયા છે. આ સમસ્યાને નિવારવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલી ડ્રાઇવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસને કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ થઈ છે.ગુજરાત સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમારા અધિકારી કામ કરે છે તેમને રાજકીય દબાણ કરીને રોકવામાં આવી રહ્યા છે. તેની સામે ગુજરાત હાઇકોર્ટે સખત શબ્દોમાં જણાવ્યું છે કે, આ જે લોકો છે જે કામમાં અડચણરૂપ બને છે તેમના નામ આપો. જે કોઈપણ રાજકીય વ્યક્તિ આ…

Read More

AMC સાત પ્લોટ ઈ-ઓક્શનથી વેચી કરોડોની આવક કરશેસોલા-હેબતપુર, આંબલી, ગોતા અને ચાંદખેડા-ઝુંડાલના પ્લોટ પણ હરાજીમાં -ઈ-ઓક્શન દ્વારા કાયમી વેચાણ, કરોડો રૂપિયાની આવક -બોડકદેવમાં એફપી-૩૫૬ પ્લોટનો ચો.મી. દીઠ રૂ. ૩,૧૦,૦૦૦ નો સર્વોચ્ચ ભાવ( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરના પ્રીમિયમ વિસ્તારો બોડકદેવ, સોલા-હેબતપુર, ચાંદખેડા-ઝુંડાલ, આંબલી અને ગોતામાં કુલ ૭ પ્લોટ ઈ-ઓક્શન મારફતે કાયમી વેચાણ કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ પ્રસ્તાવ મૂકાયો છે. એએમસીનું કહેવું છે કે આ વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થશે, જે પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગ-બગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર અને ફાયર સ્ટેશન જેવી માળખાકીય સુવિધાઓ માટે વપરાશે.પરંતુ હકીકત એ છે કે, કોર્પોરેશન પાસે અગાઉની…

Read More

જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા પોલીસે કુલ ૧૫.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો-ભુજની રીજેન્ટા હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયુંભુજ, શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રીજેન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે.જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ પોલીસ આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી. ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર…

Read More

આણંદ, વાલીયા તાલુકાના કનેરાવ ગામ તથા વાલીયા ગામના સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂ.૧૦.૮૯ લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અ‹થગ રોડ ચોરી લાખોનું નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા વાલીયા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.મૂળ આણંદના રહેવાસી અને હાલ સુરતના વેલંજા ખાતે રહેતા મૌલિક કુમાર પટેલ વાલીયા ગામની સીમમાં ઉજ્જવલ ટેક્ષ ટાઇલ્સ સોલાર પ્લાન્ટમાં ઈપીસી હેડ તરીકે ફરજ ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વાલીયા ગામની સીમમાં ૧૫ એકરમાં સોલાર પ્લાન્ટ છે.જેમાં તા . ૧૫ જુલાઈના રોજ મેન્ટેન્સ સ્ટાફના માણસો વિઝીટ કરતા ૧૧,૪૮૪ મીટરની લંબાઈ ધરાવતા રૂ.૫.૦૮ લાખના ડીસી કેબલ તથા રૂ.૮૪૬૦ની કિંમતના ૬ નંગ અ‹થગ…

Read More

૬૦ વર્ષીય છાપાના ફેરિયાને અટકાવી તેના ગળા પર છરી મૂકી હતી-પકડાયા પછી આરોપી જેલમાં હતોભુજ, કચ્છના ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લોકઅપમાંથી નાસી છૂટતા પશ્ચિમ કચ્છ પોલીસ દોડતી થઈ છે. મંગળવારે (૧૨ ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બીમારીનું બહાનું કાઢીને આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, ભુજમાં છરીની અણીએ લૂંટ આચરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયા ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લાકઅપમાંથી નાસી ગયો હતો. મંગળવારે (૧૨ ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યે પોલીસના નાક નીચેથી ભાગી ગયો હતો. જ્યારે રાત્રે જમાવાનું આપવા માટે પીએસઓએ લોકઅપ ખોલ્યું ત્યારે આરોપીએ છાતીમાં…

Read More

૧૯૮૦માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ગુજરાત સરકારે 2022માં સ્થગિત કરી દીધો હતોવિપક્ષ આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલØરાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે,કોઇપણ નવોDPR(ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ)રજૂ કરાયો નથી-ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબધ્ધ છે.Øપાર–તાપી–નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ–૨૦૧૭માં બનેલાDPRબાદ નવો કોઇપણDPRબન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથીરાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ ૨૦૨૨માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ…

Read More

તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે સરકારની લાલ આંખતપાસ દરમિયાન ગેરરીતી કરતા ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ;માંડવાળ ફી તરીકે એકમો પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ વસૂલાયાAhmedabad, જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક,મદદનીશ…

Read More

તિરંગા યાત્રાને વધુ સફળ બનાવવા માટે અંદાજિત ૫૦ લાખથી વધુ તિરંગાનું રાજ્યભરમાં વિતરણઅમદાવાદ, રાષ્ટ્રધ્વજના સન્માનમાં તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ‘સ્વતંત્રતા સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યું છે. રાજ્યના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ, સ્વચ્છતા તેમજ દેશ પ્રત્યે વધુ રાષ્ટ્ર ભાવના આવે તે માટે ‘રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત તા.૦૮ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં તિરંગા સાથે સેલ્ફી કાર્યક્રમમાં ૫.૪૫ લાખથી વધુ નાગરિકો, સ્વચ્છતા ડ્રાઈવમાં ૫.૩૭ લાખથી વધુ તેમજ તિરંગા યાત્રામાં ૧૬ લાખથી વધુ એમ કુલ મળીને ૨૬ લાખથી વધુ દેશભક્ત નાગરિકો જનભાગીદારીથી જોડાયા હતા.ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં તિરંગાયાત્રાના આયોજનની સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો…

Read More