Ahmedabad, દિનાંક ૧૦/૮/૨૫ રવિવાર ૩ઃ૩૦ કલાકે અમદાવાદ યુનિવર્સિટી ના સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ આર્ટસ દ્વારા આચાર્યશ્રી રણછોડલાલજી ની હવેલી સંગીત પ્રસ્તુતિ સભા થઈ.તેમાં યુવા વાગ્ગેયકાર – રચનાકાર અને મ્યૂઝિકોલોજીસ્ટ તરીકે આચાર્ય શ્રી રણછોડલાલજી રચિત “રાગાંગાર્ણવ રત્ન” પ્રબંધ પર ચર્ચા વિમર્શ અને ગાયન પ્રસ્તુત કરવામાં આવ્યું . આચાર્ય શ્રી સાથે આ પુસ્તક નાં સહભાગી ડો લક્ષ્મી શ્રીરામ અને ડો આદિત્ય ચતુર્વેદી એ આચાર્યશ્રી ની રચનાઓ વિશે સંગીત, સાહિત્ય, ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો.સભા નો આરંભ આચાર્યશ્રી નાં સન્માન થી કરવામાં આવ્યો જેમા કોલેજ નાં ડીન ડો રાઘવન રંગરાજન એ મોમેંટો શાલ વગેરે અર્પણ કર્યા. રાગાંગાર્ણવ પ્રબંધ નાં સંશોધન…
Author: gujarat
Gujarat Corruption: ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી શકે છે. ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. સ્થાનિક તંત્રે ધારાસભ્યનો ખેડૂત ખાતેદારનો દાખલો સાચો કે ખોટો તેની ચકાસણી શરૂ કરી છે. શું હતી ઘટના? અટક દર્શાવ્યા વિના જ ધારાસભ્ય, રમણ વોરાએ ખોટા ખેડૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી. જ્યારે આ વાતનો પર્દાફાશ થતાં તેમણે દિનેશભાઈ પટેલને જમીન વેચી દીધી હતી. બાદમાં ખેતીની જમીન એનએ કરીને ફરી રમણ વોરાએ આ જમીન ખરીદી લીધી હતી. આ જ જમીનના દાખલા-દસ્તાવેજો અને ખેડૂત…
(એજન્સી)ગીર સોમનાથ, ગુજરાતમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરીવાર વિવાદમાં ફસાયા છે. ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં તેમની કારે એક અન્ય કારને ટક્કર મારી હતી. જેના કારણે અમદાવાદના સનાથલનો ધૃવરાજસિંહ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો.આ અકસ્માત બાદ દેવાયત ખવડના સાગરિતોએ ધૃવરાજસિંહને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધૃવરાજસિંહે સમગ્ર ઘટનામાં પોલીસમાં અરજી કરી હતી. ભોગ બનનાર યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ યુવકની કાર પણ તોડફોડ કરેલી હાલતમાં મળી આવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના સાગરીતોએ અમદાવાદના સનાથલના ધૃવરાજસિંહની કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ધૃવરાજસિંહને ઈજા પહોંચી…
Gujarat Education News: સમગ્ર શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર દ્વારા રાજ્યના તમામ કલેકટર, ડીડીઓ, શિક્ષણ કચેરીઓના કમિશનરો તેમજ મામલતદારોને પરિપત્ર કરીને ખાસ આદેશ કરવામા આવ્યો છે કે, શાળાના સીઆરસી, બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરોને શિક્ષણ સિવાયની એટલે કે બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં ન આવે. જેને લઈને બીજી બાજુ સરકારી-કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોમાં રોષ ફેલાયો છે કે, માંડ 51 ટકા કોઓર્ડિનેટરો સ્કૂલોમા વિઝિટ માટે જાય છે છતાં પણ અન્ય તમામ કામથી મુક્તિ અપાઈ છે, પરંતુ શિક્ષકો પાસે શિક્ષણ ઉપરાંતની અન્ય તમામ મોટા ભાગની કામગીરી કરાવવામાં આવે છે. શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા સૂચના સરકારના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટરે તમામ શિક્ષણના વિભાગો, કમિશનરો…
Gujarat Education News: સમગ્ર શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર દ્વારા રાજ્યના તમામ કલેકટર, ડીડીઓ, શિક્ષણ કચેરીઓના કમિશનરો તેમજ મામલતદારોને પરિપત્ર કરીને ખાસ આદેશ કરવામા આવ્યો છે કે, શાળાના સીઆરસી, બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરોને શિક્ષણ સિવાયની એટલે કે બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં ન આવે. જેને લઈને બીજી બાજુ સરકારી-કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોમાં રોષ ફેલાયો છે કે, માંડ 51 ટકા કોઓર્ડિનેટરો સ્કૂલોમા વિઝિટ માટે જાય છે છતાં પણ અન્ય તમામ કામથી મુક્તિ અપાઈ છે, પરંતુ શિક્ષકો પાસે શિક્ષણ ઉપરાંતની અન્ય તમામ મોટા ભાગની કામગીરી કરાવવામાં આવે છે. શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા સૂચના સરકારના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટરે તમામ શિક્ષણના વિભાગો, કમિશનરો…
હાલમાં આ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે, પરંતુ હાલ આ જાહેરાતને પગલે જામનગરના ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છેજામનગરઃ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે, જેની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.હાલમાં આ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે, પરંતુ હાલ આ જાહેરાતને પગલે જામનગરના ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે. ઉદ્યોગકારોનું શું માનવું છે આવો જાણીએ વિસ્તારથી.જામનગરના બ્રાસ ઉદ્યોગે શહેરની વિશ્વભરમાં ઓળખ અપાવી છે. લાખો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે. ત્યારે અમેરિકાના ટેરિફની આ ઉદ્યોગ પર શું અસર પડશે તે મામલે જામનગર ફેક્ટરી…
Gujarat 55 lakh Ration Cards Suspicious: વાઇબ્રન્ટ ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે જેના ભાગરુપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતાં આખાય રાજ્યમાં કુલ મળીને 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ છે. આર્થિક રીતે સુખ સંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છેકે, જમીનદારો, કંપની ડિરેક્ટર, ઈન્કમટેક્સ ભરનારાં 25 લાખનું ટર્નઓવર કરતાં લોકો પણ એનએફએસ રેશનકાર્ડ ધરાવે છે. પ્રથમ તબક્કામાં 15.66 લાખ એનએસએફએ કાર્ડને નોન એનએસએફએ કાર્ડમાં…
રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી ખુલી હતી.હાર્દિક સિંહને અમદાવાદ લવાયો -સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિક સિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતોઅમદાવાદ, રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરળથી ઝડપી લીધો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિક સિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ સામેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી તેને દોરડા બાંધીને ગુજરાત લવાયો છે. અહીં તેની ગોળીબાર અને અન્ય ગુનાની સંડોવણી અંગે પૂછપરછ કરવામાં આવશે.આરોપી અત્યાર સુધી ગુમ હતો…
EDUCATIONAL LOAN: ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 2315 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી છે. સૌથી વઘુ એજ્યુકેશન લોન લીધી હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 11,426 કરોડ સાથે મોખરે છે. 95 ટકા અરજી વિદેશમાં અભ્યાસ માટેની એજ્યુકેશન લોનનો ઉપયોગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરતા હોય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ પ્રમાણે 2020-21માં રૂપિયા 214 કરોડ, 2021-22માં રૂપિયા 314 કરોડ, 2022-23માં રૂપિયા 383 કરોડની એજ્યુકેશન લોન ગુજરાતમાંથી લેવામાં આવી હતી. ગુજરાતમાં એજ્યુકેશન લોન એકાઉન્ટ 2020-21માં 6992 હતા અને તે 2024-25માં વધીને 8397 થઇ ગયા છે. નિષ્ણાતોના મતે એજ્યુકેશન લોન માટે જે અરજી આવે છે તેમાંથી 95 ટકા વિદેશમાં અભ્યાસ માટેની હોય…
આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છેભરૂચ, ભરૂચ જિલ્લામાં આંગણવાડીની બહેનોને સતત હેરાન કરનાર એક આરોપીને આખરે સાયબર ક્રાઈમે પકડી પડ્યો છે. આ આરોપી પંજાબથી કાર્યરત હતો અને અવારનવાર આંગણવાડીનો બહેનોને ન્યૂડ કોલ કરીને હેરાન કરતો હતો. ભરૂચ, નેત્રંગ અને ઝઘડિયાની આશરે ૫૦ જેટલી આંગણવાડી બહેનોએ આ પ્રકારના કોલથી હેરાનગતિ ભોગવી હતી. cybercrime-arrests-nude-call-accused-used-to-harass-more-than-50-anganwadi-sistersઆ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આ આરોપીને ઝડપી પાડવા માટે વિશષ ઓપરેશન હાથ ધાર્યું હતું. આરોપીના ઝડપાવાથી આંગણવાડી બહેનો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય સોર્સીસનો ઉપયોગ…
