વૈશ્વિક નિકાસ બજારમાં ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગે ભારે જહેમત બાદ સ્પર્ધાત્મકતા હાંસલ કરી છે ત્યારે ચીનની આડોડાઈને કારણે આ સ્પર્ધાત્મકતા છીનવાઈ જશે એટલુ જ નહીં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ થઈ રહેલા લાભો પણ ધોવાઈ જશે એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશન વતિ દાવો કરાયો છે અને આ સંદર્ભમાં દરમિયાનગીરી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. ચીન દ્વારા અનૌપચારિક રીતે લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોને કારણે દેશના ૩૨ અબજ ડોલરના નિકાસલક્ષી સ્માર્ટફોન તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ ઊભા થવાની શકયતા જણાતા ઉદ્યોગ દ્વારા સરકાર સમક્ષ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ચીન દ્વારા હાથે કરીને લાગુ…
Author: gujarat
વેસ્ટેડ ફાઇનાન્સના ‘ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ’ અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ભારતીયોએ અમેરિકન ચિપ કંપની એનવીડિયામાં સૌથી વધુ ટ્રેડિંગ કર્યું હતું. એનવીડિયા તાજેતરમાં ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ હાંસલ કરનાર પ્રથમ કંપની બની છે. રિપોર્ટ અનુસાર ખરીદીમાં એનવીડિયાનો હિસ્સો ૬.૪% અને વેચાણમાં ૮.૩% હતો. સૌથી વધુ નેટ ઈન્વેસ્ટમેન્ટ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટમાં કરવામાં આવ્યું હતું. ગૂગલમાં યુનિક ભારતીય રોકાણકારોની સંખ્યામાં ૧૧૩%નો બમ્પર વધારો થયો હતો. આ ઉપરાંત, ભારતીયોએ ટેસ્લા, એએમડી અને એપલ જેવા મોટા શેરોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતીય રોકાણકારો હવે સ્થાનિક શેરમાર્કેટોથી આગળ વધીને વિશ્વ ફલક પર રોકાણ કરી રહ્યાં છે. ખાસ કરીને અમેરિકાના…
(તખુભાઈ સાંડસુર દ્વારા) (તસવીર નિલેશ વાવડિયા) સ્વીઝર્લેન્ડના મુખ્ય એરપોર્ટ એવા જ્યુરીકથી 160 કિલોમીટર જેટલું દૂર રમણીય પ્રાકૃતિક સંપદાઓનો ખજાનો એવા શહેર દાઓસની રામકથામાં બીજા દિવસે ભારતના સીઝરર્લેન્ડના એમ્બેસેડર શ્રી મુદુલકુમારજીની વિશેષ ઉપસ્થિતિ રહી.કથાના પ્રારંભે ભારતીય એલચી માનનીય શ્રી મૃદુલકુમારજીએ કહ્યું કે રામકથા એ આપણાં જીવનને બદલનારી ગાથા છે. યુગો યુગોથી તેમના પાત્રોનું સમર્પણ અને જીવન આજે પણ આપણા સૌ માટે પ્રેરિત કરનારું છે. સાંપ્રત યુગમાં આ ગાથાનુ શ્રવણ ખૂબ જરૂરી છે. પૂજ્ય મોરારિબાપુ એ અહીં સ્વીઝર્લેન્ડની ધરતી માટે પોતાનો સમય આપ્યો છે તે માટે ભારતીય સમુદાય વતી હું આભાર પ્રગટ કરું છું. જીવનમાં જો સત્ય, પ્રેમ…
યુપીઆઈ દ્વારા મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી ગણતરીની સેકન્ડમાં પેમેન્ટ થઈ રહ્યા છે. આજે ભારતમાં દરમહિને ૧૮ અબજથી વધુ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જૂન ૨૦૨૫માં યુપીઆઈએ ૧૮.૩૯ અબજના ટ્રાન્ઝેક્શન દ્વારા ૨૪.૦૩ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો ૧૩.૮૮ અબજ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જે છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૨%નો વધારો દર્શાવે છે. ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા અહેવાલ ‘રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ : ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી’ અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન…
રોકાણકારોમાં નવેસરના આશાવાદ, વિકસિત દેશો દ્વારા નિયમનકારી માળખા માટેના માર્ગને મંજુરી તથા સ્પોટ ઈટીએફસમાં જંગી ઈન્ફલોસને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપનો આંક પ્રથમ જ વખત ૪ ટ્રિલિયન ડોલરને આંબી ગયો છે. જોખમી એવી આ ડિજિટલ કરન્સીસ માટે નિયમનકારી માળખાની રચનાની જોગવાઈ સાથેના ખરડાને અમેરિકાના લોક પ્રતિનિધિ ગૃહે આ સપ્તાહમાં મંજુર કરી દીધો છે. આ ધારાને કારણે રોકાણકારોમાં ક્રિપ્ટોસ સંદર્ભમાં વિશ્વાસમાં વધારો થશે અને તે પ્રત્યેનો અભિગમ પણ બદલાશે. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રારંભથી સર્વ એસેટ કલાસમાં ૩૦% સાથે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને રોકાણકારોને સૌથી વધુ વળતર પૂરું પાડયું છે. નવા એકસચેન્જ ટ્રેડેડ પ્રોડકટસના લોન્ચિંગને રોકાણકારોનો પ્રતિસાદ મળી રહ્યો…
યુએસ વહીવટીતંત્રે ભારત પર લાદવામાં આવેલી ૨૬% ડયુટીને અસ્થાયી રૂપે બંધ કર્યા પછી ભારતના નિકાસકારો હાલમાં ૧૦%ની બેઝ ડયુટીને પાત્ર છે. ડેટા એ પણ દર્શાવે છે કે જૂનમાં વેપાર ખાધ ઘટીને ૧૮.૭૮ અબજ ડોલરની ૪ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે કારણ કે મહિનામાં આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે જૂનમાં વેપાર ખાધ ૨૦.૮૪ અબજ ડોલર હતી અને એક મહિના અગાઉ ૨૧.૮૮ અબજ ડોલર હતી. વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂનમાં અમેરિકામાં વેપારી માલની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫% વધીને ૮.૩ અબજ ડોલર થઈ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ નિકાસમાં ઘટાડો…
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો સોપારી ટુકડો જ નહીં મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે :-ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના વડા અને તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ (જી.એન.એસ) તા. ૨૦ અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા પિતા માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કલોલ ના બે વર્ષ ના આર્યનની શ્વાસ નળીમાંથી સોપારી નો ટુકડો કાઢી સિવિલ ના તબીબોએ જીવ બચાવ્યો છે. સમગ્ર વિગત એવી છે કે ,કલોલના શૈલેષભાઇ દંતાણી નો 2 વર્ષનો દીકરો આર્યન પેટના ટીબીથી પીડાય છે અને પથારીવશ છે. 6 મહિના પહેલા તેની માતાનું અવસાન થયુ હતું. લગભગ 3…
સ્પીપા દ્વારા UPSC તાલીમ વર્ગમાં પ્રવેશ માટે લેવાયેલ પરીક્ષાને મળેલ બહોળો પ્રતિભાવ ૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપેલ છે. UPSC ની પેટર્ન મુજબ પેપર-૧ અને પેપર-૨ -એમ બે પેપરની પ્રાથમિક કસોટી લેવાઈ (જી.એન.એસ) તા. ૨૦ અમદાવાદ ગુજરાતના વધુમાં વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષામાં સફળ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ તથા તેના ૫ પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે “યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર” મારફત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવે છે. સ્પીપા દ્વારા પ્રવેશ પરીક્ષા લઇ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે કુલ ૬૩૫ ઉમેદવારો માટે પ્રશિક્ષણવર્ગ ચલાવવામાં…
રાજ્યમાં વિવિધ સ્થળોએ પેચવર્ક દ્વારા રસ્તાઓ સતત રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિમાં મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું (જી.એન.એસ) તા. ૨૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે. નેશનલ હાઇવે ૪૭(NH47) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે. જે અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(NH47) પર બગોદરા પાસે માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ,…
(જી.એન.એસ) તા. ૨૦ ગાઝા, ઇઝરાયલી સૈનિકોએ શનિવારે દક્ષિણ ગાઝામાં યુએસ અને ઇઝરાયલી સમર્થિત જૂથ દ્વારા સંચાલિત વિતરણ કેન્દ્રોમાંથી ખોરાક મેળવવા માંગતા પેલેસ્ટિનિયનોના ટોળા પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા, એમ સાક્ષીઓ અને હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર. ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હબ નજીક ગોળીબાર થયો હતો, જેણે મે મહિનામાં કામગીરી શરૂ કરી હતી. યુએસ અને ઇઝરાયલ ગાઝામાં પરંપરાગત યુએન-નેતૃત્વ હેઠળની સહાય વિતરણ પ્રણાલીને બદલવા માંગે છે, અને દાવો કરે છે કે હમાસના આતંકવાદીઓ પુરવઠો ચોરી કરે છે. યુએન આ આરોપને નકારે છે. જ્યારે GHF કહે છે કે તેણે ભૂખ્યા પેલેસ્ટિનિયનોને લાખો ભોજનનું વિતરણ કર્યું…
