Author: gujarat

ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુર પંથકમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામમાં રહેતી પરિવારની દીકરીને ગત ૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આરોપી અક્ષય ભરતભાઈ દંતાણી રહે, સરઢવ, ઓગળિયા વાસ દ્વારા લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ નવસારી ખાતે આંબાવાડીમાં રાખીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો અને ગર્ભવતી બનાવી…

Read More

ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી કાવતરૂં ઘડીને પિતરાઈ ભાઈને જ સોપારી આપી હતી(એજન્સી)રાજકોટ, ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાથી મૃત્યુ થયાનું સામે આવતા પોલીસે આખા પ્રકારણનું રહસ્ય ખોલી નાખ્યું હતું.આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયલ જવા માટે રૂ. ૭૦ લાખની વીમા પોલિસી પકવવા કાવતરૂં રચ્યું હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગઇ તા. ૯ના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે અકસ્માતમાં…

Read More

(એજન્સી)ગાંધીનગર,ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી સારા નફાની લાલચ આપી ગઠિયાઓએ ૧૫.૯૫ લાખ રૃપિયા ખંખેરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને લોભામણી લાલચો આપીને રોકાણ કરાવીને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતો યુવાન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો હતો.જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ પેથાપુરમાં મુલચંદ પાર્ક ખાતે રહેતા…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 16 જેટલા જૂના બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ માટે બ્રિજ પરથી ભારે વાહન પસાર ન થાય તે માટે રિસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવા માટેનું રૂ. 2.89 કરોડનું સિંગલ ટેન્ડર આવ્યું હોવાથી રિ-ટેન્ડરીંગ કરવામાં આવનાર છે.આમ, આ પ્રક્રિયા પુર્ણ થયા બાદ હાઈટ બેરિયર લગાવાશે, જેના કારણે ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં. 16 બ્રિજ પર 28 જેટલા રીસ્ટ્રીકટેડ હાઈટ બેરિયર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 બ્રિજ પર એક અને 12 બ્રિજ પર 2 હાઈટ બેરિયર…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓની સમસ્યા હજુ યથાવત છે, ત્યાં જ હવે કપિરાજના ઝુંડે નવા નરોડા વિસ્તારમાં આતંક મચાવ્યો છે. હાલ કપિરાજના આતંકની સૌથી તાજેતરની ઘટના નવા નરોડા વિસ્તારમાં આકાશગંગા રોડ પર આવેલા રાધે બંગ્લોઝની બાજુમાં બની હતી. છેલ્લા બે દિવસમાં એક જ ઝુંડના આક્રમક વાંદરાઓએ ૮થી વધુ લોકો પર હુમલો કર્યો છે, જેમાં મોટા ભાગના લોકોના પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.તાજેતરમાં અમદાવાદના નવા નરોડા વિસ્તારની ઘટના અંગે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીં કપિરાજ સીધો માણસ પર તૂટી પડ્‌યો હતો. આ હુમલામાં કપિરાજે પગ અને હાથમાં બચકા ભરીને માંસનો લોચો બહાર કાઢી નાખ્યો હતો. જેથી…

Read More

અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી એરીયામાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી કરાઈ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે.જેમાં લિફ્‌ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની ૮થી ૧૦ ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતાફાયર બ્રિગેડ દ્વારા…

Read More

ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા(એજન્સી)અમદાવાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.ઈડીએ આ ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદોના ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં કુલ ૨૫ સ્થળોએ દરોડા પાડ્યા છે.અહેવાલો અનુસાર, ઈડીએ આલોક સિંહ અને અમિત ટાટા જેવા મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.અમદાવાદ, ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર અને ઝારખંડ રાંચીમાં દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, લખનઉમાં બરતરફ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ આલોક સિંહના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા.આ સિન્ડિકેટ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક છે, જે ગેરકાયદે રીતે કોડીન ધરાવતા કફ સિરપ…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનમાં ખોખરા વોર્ડમાં આવેલ હયાત ખોખરા રેલ્વે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગ્મેનટેશન ના ભાગરૂપે હયાત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખી ૨૦ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટની ઓવર હેડ ટાંકીતથા ૫.૭૦ મિલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભુર્ગભ ટાંકી બનાવવામાં આવશે. તેમજ જરૂરીયાત મુજબ નેટવર્ક નાંખવાના અને ઈલેકટ્રીકલ/મીકેનીકલ કામ તથા પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિતની કામગીરી થશે. જેના માટે રૂ.15.52 કરોડ નો ખર્ચ થશે.મ્યુનિસિપલ વોટર સપ્લાય કમીટી ચેરમેન દિલીપભાઈ બગડીયા ના જણાવ્યા મુજબ દક્ષિણઝોનના ખોખરા વોર્ડમાં આવેલ ખોખરા રેલ્વે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે હયાત ભુગર્ભ ટાંકી ક્ષમતા ૧૩.૬૨ મીલીયન લીટર તથા ઓવરહેડ ટાંકી ક્ષમતા ૦.૯૧ મીલીયન લીટર છે.જેમાં…

Read More

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્‌યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા.કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્‌યા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી…

Read More

Valsad Bridge Collapse: વલસાડ જિલ્લાના કૈલાશ માર્ગ પર ઔરંગા નદી ઉપર નિર્માણાધીન નવા પુલમાં અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. પુલના બે પિલર વચ્ચે મૂકવામાં આવેલ ગર્ડર અચાનક તૂટીને નીચે પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના સમયે બાંધકામનું કામ ચાલુ હોવાથી મજૂરો સ્થળ પર હાજર હતા. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જ્યો હતો.ચાર મજૂરો ઘાયલ, તાત્કાલિક સારવાર માટે ખસેડાયાગર્ડર ધરાશાયી થતાં ચાર મજૂરો કાટમાળમાં ફસાઈ ગયા હતા. આસપાસ કામ કરતા લોકો અને સ્થાનિક નાગરિકોએ તરત દોડી આવીને ઘાયલ મજૂરોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.વહીવટી તંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાદુર્ઘટનાની…

Read More