વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશી પરિવારોને રાહત: સરકારની ગાઈડલાઈન મુજબ રિલાયન્સ ગેસ અને ઈંધણની પૂર્તિ સુનિશ્ચિત કરશેજામનગર, વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલાવિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ –રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથીએલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એલ.પી.જી.ના ઉત્પાદનમાં વધારો કરવા માટે ચોવીસે કલાક કામ કરી રહી છે જેથી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે.એ સાથે જ રાષ્ટ્રીય ઊર્જાની પ્રાથમિકતા અને સરકારી માર્ગદર્શિકાને અનુરૂપકે.જી. ડી-6 બેઝિનમાંથી…
Author: gujarat
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા બી-ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ડોગ સ્ક્વોડને પણ બોલાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર ગોધરા પોસ્ટ ઓફિસ અને તેમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ મળતા જ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા…
ફાયર ફાઈટરોની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, સદનસીબે જાનહાનિ ટળી(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ તાલુકાના પીઠાઈ ગામની સીમમાં આવેલ એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કંપનીમાં રહેલો લાખો-કરોડોનો સામાન, મશીનરી અને કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ કઠલાલના પીઠાઈ વિસ્તારમાં આવેલી કંપનીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક અંદાજ મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગે જોતજોતામાં સમગ્ર ફેક્ટરીને પોતાની ઝપેટમાં…
(પ્રતિનીધિ) અમદાવાદ, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છેજે દરમિયાન મંગળવારે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના…
રપ ટકાનો વીજ લોસ, નવ ટકા સુધી પહોંચ્યોઃ એમડીના હસ્તે સન્માનસુરેન્દ્રનગર, જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરી ડામવા પીજીવીસીએલ અને પોલીસ તંત્ર દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ચોટીલા થાનગઢ મૂળ સહિતના વિસ્તારોમાં દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પોલીસને સાથે રાખી અને નામચીન ભૂમાફિયાઓ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોના ઘરે જઈ ઈલેકટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી હતી બાદ જે વીજ ચોરી કરવામાં આવી રહી હતી તેના દંડ ફટકારવામાં આવ્યા હતા.શહેરના પંડિત દીનદયાલ હોલમાં ખાસ કાર્યક્રમ પીજીવીસીએલના એમડી કેતન જોષીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં જિલ્લા એસપી અને તેમની ટીમના સહકાર બદલ સન્માનિત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.૧પ૧…
જીમમાં હવે વોઈસ રેકોર્ડીંગવાળા સીસીટીવી કેમેરા લગાવવા પડશે- ટ્રેનરોની પ્રોફાઈલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સુરત, સુરતના જીમોમાં આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેક મેઈલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત એસઓજી પોલીસ એકશનમાં આવી છે. પોલીસે જીમ સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટતા સૂચના આપી હતી. જીમમાં હવે વોઈસ રેકોર્ડીગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે. જો પર્સાનલ મેરેજ કરી કનડગત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.સુરત એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું…
પાલનપુર, રાજ્ય સરકાર દ્રારા છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે આપવાનો નવતર અભિગમ એટલે સેવાસેતું કાર્યક્રમ …જે અંતર્ગત પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે પ્રા.શાળામાં બનાસકાંઠા ડી.ડી.ઓ.શ્રીના માર્ગદર્શનમાં પાલનપુરના સેવાભાવી મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ પાલનપુરના ઉર્જાવાન તા.વિ.અધિકારી પિયૂષભાઇ સિસોદીયાની વિશેષ ઉપસ્થિતિમાં સેવાસેતુ 2.0 કાર્યક્રમમાં યોજાયો હતો .આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , ખુશાલભાઇ અંબાણી સહિત ગઢ – કુંભાસણ વિસ્તારના લગભગ 20 ગામના લાભાર્થી – અરજદારો , સરપંચશ્રીઓ , રાજકીય અગ્રણીઓ , તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાસેતું કાર્યક્રમને સફળ બનાવ્યો હતો …
સબ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે મહુધા પોલીસે તપાસ શરૂ કરી: ત્રણ સામે ગુનો દાખલ(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ ૨૦૦૮માં થયેલા એક જમીન દસ્તાવેજમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને જીવિત દર્શાવી, તેમના નામે ખોટું પાવર ઓફ એટર્ની બનાવી કિંમતી જમીન અન્ય વ્યક્તિને વેચી દેવાના ગુનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.ખેડા જિલ્લા જમીન તકેદારી સમિતિ (સીટ) ની તપાસ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.મળતી માહિતી મુજબ નડિયાદના સબ રજિસ્ટ્રાર સુરેશભાઈ ચૌધરીએ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તે મુજબ અમરતભાઈ બીપીનભાઈ અંબાલાલ હરીજન રહે. હરીજનવાસ બલોલ તા. મહુધા વાળાએ તેઓની વડીલોપાર્જીત બલોલ ગામની સીમમાં…
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકા ના દવાપુરા ગામના જોરાપુરા વિસ્તારમાં રહેતા એક ખેડૂતના બેંક ખાતામાંથી કોઈ ગઠિયા ગેંગે ઓટીપી કે કોઈપણ લિંક મોકલ્યા વિના બારોબાર રૂપિયા ૧,૩૩,૧૦૦ ઓનલાઇન ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાનો બનાવ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છેમળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના દવાપુરા ગામના જોરાપુરા વિસ્તારમાં રહેતા ખેડૂત રણજીતભાઈ જશાભાઈ પરમાર નડિયાદના સાઈ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં બચત ખાતું ધરાવે છે. આ બેંક ખાતામાં તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ ન હોવાથી, બેંકના તમામ વ્યવહારના મેસેજ ખેડૂત રણજીતભાઈ ના પુત્ર શૈલેષભાઈના મોબાઈલ પર આવતા હતા.ખેડૂતના બેંક ખાતામાં ગત તારીખ ૩૧/૧૨/૨૦૨૫ના રોજ રૂપિયા ૧,૩૩,૦૮૩ જમા હતા. ત્યારબાદ તેમણે…
ગ્રીસ, આઈસલેન્ડ કે બહામાસ જેવા વિદેશી સ્થળો ભલે આકર્ષક હોય, પણ ગુજરાતમાં પણ હનીમૂન માટે એવા કેટલાક શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે જે તમારા પ્રેમ અને રોમાંચને વધારી દેશે:૧. દીવ (Diu) – ગુજરાતનું ‘મીની-ગ્રીસ’જો તમે ગ્રીસના ‘સનટોરિની’ (Santorini) જેવા અનોખા વાતાવરણનો અનુભવ કરવા માંગતા હોવ, તો દીવ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દીવના શાંત, સુંદર બીચ અને પોર્ટુગીઝ વારસાને કારણે તેને ઘણીવાર ‘ગુજરાતનું મીની-ગ્રીસ’ કહેવામાં આવે છે.૨. સાપુતારા (Saputara) – પર્વતો વચ્ચે રોમેન્ટિક રોકાણજો તમે આઈસલેન્ડ જેવા પહાડી વિસ્તાર કે સ્વિટ્ઝર્લેન્ડ જેવો અહેસાસ ઈચ્છતા હોવ, તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા, તમારી પસંદ હોઈ શકે છે. ચોમાસામાં અને શિયાળામાં આ સ્થળ ખૂબ…
