Author: gujarat

અમદાવાદ, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં દારૂ બિયરની ડિમાન્ડ વધી છે જેના કારણે રાજસ્થાનથી અમદાવાદ થઇને બૂટલેગરો દારૂ બિયરનો જથ્થો સપ્લાય કરી રહ્યા છે.પરંતુ આ બૂટલેગરો અને દારૂ મોકલનારની અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ પાસે માહિતી હોવાથી લાખો કરોડોનો દારૂ બિયરનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં એક જ દિવસમાં ૮૩.૨૨ લાખનો દારૂ બિયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે. સોલા, અસલાલી, બગોદરા પોલીસે પકડેલો આ જથ્થો ટાઇલ્સના પાવડર, ડાંગરની કુશ્કી, પ્લાસ્ટિકના પીપડાની આડમાં લઇ જવાતો હતો.લાકડાના ભૂંસા અને ટ્રાન્સપોર્ટમાં આવેલા દારૂ બાદ હવે સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી…

Read More

અમદાવાદ , ઓઢવના આદીનાથનગર વિસ્તારમાં અરિહંત સોસાયટીમાં રહેતા શાહ દંપતીની દીકરીના લગ્ન નજીકના સમયમાં આવતાં હોવાથી દંપતીએ ગેરકાયદે રીતે ડુપ્લિકેટ દારૂનું વેચાણ અને હોમ ડિલિવરી શરૂ કરી હતી.સસ્તી કિંમતના દારૂને મોંઘીદાટ બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી બમણા ભાવે વેચાણ કરાતું હતું. ઓઢવ પોલીસે બાતમીના આધારે શાહ દંપતીના ઘરે દરોડા પાડ્યો ત્યારે બૂટલેગર પતિ અલ્પેશ શાહ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જ્યારે તેની પત્ની લક્ષ્મીબેન શાહ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે મહિલાની રૂ. ૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી શાહ દંપતી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે.ઓઢવ વિસ્તારમાં દારૂની હોમ…

Read More

હિંમતનગર, હિંમતનગરના આરટીઓ બાયપાસ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને પોન્ઝી સ્કીમના સંચાલકોએ એજન્ટો દ્વારા ૧૨થી વધુ લોકો પાસે રૂ. પ૩,પ૮,૦૦૦થી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી આછરતાં આ મામલે ગ્રામ્ય પોલીસ મથકમાં છ જણા સામે ફરિયાદ નોંધાઇ હતી.જોકે પોલીસે બુધવારે પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા ત્રણ જણાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાયા હતા.હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલા શાન્તમ-૭ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર (રહે.ધાણધા, હિંમતનગર)એ અન્ય ભાગીદારો સાથે મળી એ.પી.કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવી ૧૦થી ૧પ ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી.જેમાં હિંમતનગર સિવિલના ન‹સગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ કાંતિલાલ પટેલ…

Read More

ભાવનગર, ભાવનગર શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ કરી બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.સિહોરના શખસે મહિલાને ધાકધમકી આપી અનેકવાર મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાતા ગંગાજળિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.આ કેસની વિગત મુજબ, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવક જીગર ચાવડા વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. જેનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપી હતી.આરોપીએ ડરાવી ધમકાવીને મહિલા પોલીસકર્મી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.આ મામલે ૨૦ જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં…

Read More

અમદાવાદ , સાયબર ક્રાઇમના વધતા જતા ગ્રાફને ધ્યાનમાં રાખીને તેને નાથવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમ છતાં સાયબર એજન્સી અને સાયબર સેન્ટરોમાં જરૂરી પોલીસ ફોર્સનો અભાવ તથા મર્યાદિત સાધન સામગ્રીના કારણે અસરકારક અને ઝડપી કાર્યવાહી કરવામાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે.રાજ્યના સૌથી મોટા સાયબર સેન્ટરોની હાલત એવી છે કે આશરે ૧૦૦ અરજીઓની તપાસ માટે માત્ર એક કે બે પીએસઆઈની ફાળવણી કરવામાં આવી રહી છે. વધુમાં, જ્યારે કોઈ કેસમાં એકથી વધુ આરોપીઓ ઝડપાય છે ત્યારે તપાસ અધિકારીને તેમની પૂછપરછ અથવા નિવેદન નોંધવાની કામગીરી પણ સમૂહમાં જ કરવી પડે છે.પરિણામે એક આરોપી દ્વારા આપવામાં આવેલા…

Read More

અમદાવાદ, અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નના માત્ર બે જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ એનઆરઆઈ ટાવરમાં નિવાસ કરતા હતા.ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યાે કે આવેશમાં આવીને…

Read More

અમદાવાદ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે.પકડાયેલા બંને આરોપીઓ કાલુપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેઓ ટુ-વ્હીલર પર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા.વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના છે.આ બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટુ-વ્હીલર…

Read More

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ૨૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ મણ બોલાયા(એજન્સી)જામનગર, જામનગરમાં ડુંગળી પકવતા ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે કારણ કે તેમને તેમની મહેનતનું પૂરતું વળતર મળી રહ્યું નથી. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યાં એક મણ ડુંગળીનો ભાવ ૨૦ રૂપિયાથી લઈને ૪૦૦ રૂપિયા સુધી બોલાયો હતો.આ ભાવો સાંભળીને પાક વેચવા આવેલા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. ખેડૂતોએ જણાવ્યું કે વર્ષભરની સઘન મહેનત જમીન તૈયાર કરવાથી માંડીને વાવેતર ખાતરનો ખર્ચો, બિયારણનો ખર્ચ, પાણીનો ખર્ચ અને નિંદામણ તથા મજૂરી જેવા અનેક ખર્ચાઓ કર્યા પછી જ્યારે તેઓ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા પહોંચે…

Read More

ર૧ વર્ષ માનવતાની સેવાને જીવનનું મિશન બનાવતો યુવાનહું હંમેશા મારી કારમાં ફુડ પેકેટસ રાખું છું. રસ્તામાં ગમે ત્યારે ફુટપાથ પર દેખાતા બાળકો સાથે સમય વિતાવીને તેમને ફુડ પેકેટસ આપું છું. મે હમણાં સુધી ૩૦૦ કરતા વધુ બાળકોની મદદ કરી છે.(એજન્સી)અમદાવાદ, જરૂરીયાતમંદોની સેવા માટે જીવન સમર્પીત કરનાર વ્યકિત માત્ર મદદગાર નથી પરંતુ સમાજ માટે આશાનું પ્રતીક ગણાય છે. ભુખ્યાને ભોજન નિરાધારને સહારો અને નિરાશમાં હિમત આપવાનું કામ તેમની દૈનિક ફરજ બની જતી હોય છે.પરંતુ ઘણા લોકો નિષ્ઠા અને સેવાભાવ સમાજને વધુ સંવેદનશીલ અને સશકત બનાવવામાં મદદરૂપ થતા નથી. ત્યારે વાસણા વિસ્તારમાં રહેતા ર૧ વર્ષીય દિવ્યેશ સિંહ જાદવ તેમની આવકની ૯પ ટકા…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ રંગમંચલયક્ષી કલાઓના કાર્યક્રમોનો આખો સ્કેલ બદલી નાખ્યો હતો અને કલાકારોને ભવ્ય પુરસ્કાર અને ભરપૂર સુવિધા આપવાની શરૂઆત કરાવી હતી.સમૃદ્ધ સાંસ્કૃતિક આયોજનના પાયોનીયર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકકલાકારોને સોમનાથમાં કોઈ સુવિધા આપવામાં નહોતી આવી અને આ કલાકારો જાણે સરકારી અધિકારીઓ તથા ઇવેન્ટ મેનેજરોના ગુલામ કે દાડિયા હોય એવી રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતોતથા અને તે સર્વે ભવ્ય પરંપરાગત કલાકારોને ભોજન માટે, યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ખોલવામાં આવેલા ભંડારાઓમાં, હજારોની ભીડ વચ્ચે,એકાદ કિલોમીટર જેટલી દૂર સુધી પહોંચતી લાઈનમાં ઉભા રાખીને જમાડવા માટે રાહ જોવડાવાઈ હતી અને…

Read More