(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સહિત કુલ ૩ વિદ્યાર્થી પર છરી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શાળાના ગેટની બહાર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની…
Author: gujarat
કંબોડીયા-આટખોલ-મોતીયા જોડતા ૮ કિ.મી રસ્તાની કામગીરી ટલ્લે ચઢતા લોકો પરેશાન(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં છેલ્લા પંચીસ વર્ષ ઉપરાંતથી સૌનો સાથ સૌનો વિકાસના મુખ્ય મુદ્દાને લઈને ચાલી રહેલી ભાજપ સરકારના રાજમાં ડબલ એન્જીનવાળી સરકાર કામગીરી કરી રહી છે.જેમા પણ પછાત વિસ્તારમાં વસ્તા લોકોને પાયાની માળખા ગત સુવિધાઓ જેવી કે પાણી, રોડ રસ્તાઓ, વિજળી વિગેરે અન્ય તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે અઠગ પ્રયત્નો સરકાર થકી થઈ રહ્યા છે.જેમા સરકાર થકી ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રોડ રસ્તાઓ મળી રહે તે મુખ્ય ધ્યેય છે. ત્યારે ભરૂચ જીલ્લાના નેત્રંગ – ભરૂચ – ગાંધીનગર – દિલ્હી સુધીની ચાર એન્જીન વાળી સરકારના રાજમાં નેત્રંગ-ઝંખવાવ રોડ પર કંબોડીયાથી પુર્વ…
પોલીસે ચારેય મિત્રોની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા (પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના દાંડા ગામે રહેતા પાંચ મિત્રોની જમવા બાબતે મારામારી થતા એક મિત્રને માથામાં કોઈ વસ્તુ મારી તેને બેભાન અવસ્થામાં તેના ઘરે મૂકી જતા રહ્યા હતા.પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં માથામાં ભાગે ઇજા થયાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ હત્યારાઓને બનાવવાળી જગ્યાએ સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકસન કર્યું હતું.આમોદ તાલુકાના દાંડા ગામે રહેતો વિષ્ણુભાઈ પ્રવિણ વસાવાની ૧૪ મી તેમજ ૧૫ મી જાન્યુઆરીના દાંડા ગામના જ ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવિણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા,…
Rajkot Girl Rapist Death Sentence: કેટલાક ગુનાઓ શરીર પર ઊંડા ઘા છોડી જાય છે. આ ગુનાએ એક માસૂમ બાળકીના આત્માને હચમચાવી દીધો હતો. એક અઠવાડિયા સુધી બાળકી મૌન રહી, પરંતુ તેનું મૌન તોડવા માટે પોલીસ અને જજે જે કર્યું, તે પોલીસ વિભાગ અને ન્યાયતંત્રમાં હંમેશા યાદ રાખવામાં આવશે. આ બધું કોઈ ફિલ્મી વાર્તા જેવું હતું. ન્યાય માટે પ્રતિબદ્ધ લોકોએ આ અત્યંત સંવેદનશીલ મામલામાં એટલી લગનથી કામ કર્યું કે દરેક વ્યક્તિ આ ન્યાયના રક્ષકોના મુરીદ થઈ જાય. જેમણે તેના તૂટેલા વિશ્વાસને ધીરે-ધીરે ફરી સ્થાપિત કરીને તેના હુમલાખોરને ન્યાયના કટઘરામાં ઊભો કર્યો. એક મહિનાની અંદર બાળકી સાથે હેવાનિયત કરનારને ફાંસીની સજા સંભળાવવામાં…
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી, વડોદરા દ્વારા ખેડા જિલ્લામાં વસતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ સૈનિક સંમેલનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમ અંતર્ગત ફરજ દરમિયાન શહીદ થયેલ સૈનિકો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તથા સિપાહી સ્વ. શ્રી મોહનભાઈ મણીલાલ વાઘેલા, હવાલદાર દિનેશકુમાર યાદવ, સિપાઈ , હરિશકુમાર પરમાર, લાન્સ નાયક વિજયસિંહ ગણપતસિંહ પરમાર, મનોજકુમાર પુરસોતમદાસ ગોહેલ, સિપાઈ તળપદા વિશ્રામભાઈ, શૈલેષભાઈ અંબાલાલ પટેલ, હિતેશકુમાર બુધાભાઈ પરમાર અને લાન્સ નાયક દિલીપસિંહ રાયજીભાઈ ચૌહાણના પરિવારજનોને શાલ ઓઢાડી અને ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે કલેક્ટર અમિત…
Vadodara Fake PSI Arrested: ગુજરાતમાં ફરી એકવાર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના વડોદરામાં ગુજરાત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ને ઝડપી પાડ્યો છે. તે પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગણાવતો હતો અને તેની પાસેથી નકલી આઈડી કાર્ડ, વર્દી, સરકારી સિક્કાઓ અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેનાથી એક શંકાસ્પદ છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસના ડીસીપી ઝોન-૨ મંજીતા વંજારાના જણાવ્યા અનુસાર આ શખ્સ જમીનના મોટા-મોટા સોદા કરતો હતો.પિસ્તોલની જગ્યાએ રાખી હતી એરગનવડોદરા પોલીસના જણાવ્યા અનુસાર સિટી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ મંગળવારે એક ૩૮ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી, જે વડોદરાના તાંદલજા…
કપરાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધારાસભ્યના હસ્તે સ્ટેમ લેબનું ઉદઘાટન કરાયું(તસ્વીરઃ અશોક જોષી) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે સ્ટેમ લેબનો ઉદ્ઘાટન સમારોહ કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યશ્રીના હસ્તે સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનના શિક્ષણને વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ પહેલો તથા સરકારની કટિબદ્ધતા અંગે વિગતે જણાવ્યું હતું.તેમણે વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી…
Cobra Venom Smuggling Surat: ગુજરાતના સુરતમાં ચોંકાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગેરકાયદેસર રીતે કોબ્રાનું ઝેર વેચતી ગેંગને પકડી છે. પોલીસે મેરેજ બ્યુરોની આડમાં ચાલી રહેલા આ ખતરનાક ગોરખધંધાનો ભાંડો ફોડ્યો છે. પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરવાની સાથે તેમની પાસેથી ૫.૮૫ કરોડ રૂપિયાનું ઝેર જપ્ત કર્યું છે. સુરતમાં કોબ્રાના ઝેરના વેચાણના ખુલાસાથી હડકંપ મચી ગયો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું સુરતમાં યોજાતી રેવ પાર્ટીઓમાં કોબ્રાના ઝેરનો ઉપયોગ થઈ રહ્યો હતો? પોલીસ આરોપીઓની પૂછપરછમાં લાગેલી છે.૫.૮૫ કરોડ રૂપિયાનું ઝેરસ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જણાવ્યા અનુસાર સુરતમાં એક બાતમી મળવા પર પોલીસ ટીમે…
વણાટકામની કલાને વ્યવસાયરૂપે વિકસાવીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પૂરી પાડી રોજગારીગાંધીનગર, રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે.રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે.આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૨ કરોડ રિવોલ્વિંગ…
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વીરપુર તાલુકાના ઠાકોર-કોળી સમાજના લાભાર્થીઓ માટે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી લોનની શરતોમાં સુધારા કરવાની માંગ ઉઠી છે. આ બાબતે મામલતદાર સાહેબ, કચેરી વીરપુર, જી. મહીસાગરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનમાં જણાવ્યા મુજબ, ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકો માટે આપવામાં આવતી લોન સહાય લાભદાયી છે, પરંતુ હાલ લોન માટે પ્રોપર્ટી કાર્ડ અથવા ૭/૧૨ દસ્તાવેજની શરત ફરજિયાત કરવામાં આવતા અનેક સાચા લાભાર્થીઓ લોનથી વંચિત રહી રહ્યા છે. અગાઉના વર્ષોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ-મંત્રીએ આપેલા દાખલાના આધારે લોન આપવામાં આવતી હતી.ઠાકોર-કોળી સમાજના મોટા ભાગના લોકો આર્થિક રીતે નબળા હોવાથી તેમની પાસે પ્રોપર્ટી કાર્ડ…
