Author: gujarat

વણાટકામની કલાને વ્યવસાયરૂપે વિકસાવીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પૂરી પાડી રોજગારીગાંધીનગર, રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે.રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે.આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. ૨૫૭.૯૨ કરોડ રિવોલ્વિંગ…

Read More

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વીરપુર તાલુકાના ઠાકોર-કોળી સમાજના લાભાર્થીઓ માટે ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી લોનની શરતોમાં સુધારા કરવાની માંગ ઉઠી છે. આ બાબતે મામલતદાર સાહેબ, કચેરી વીરપુર, જી. મહીસાગરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આવેદનમાં જણાવ્યા મુજબ, ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકો માટે આપવામાં આવતી લોન સહાય લાભદાયી છે, પરંતુ હાલ લોન માટે પ્રોપર્ટી કાર્ડ અથવા ૭/૧૨ દસ્તાવેજની શરત ફરજિયાત કરવામાં આવતા અનેક સાચા લાભાર્થીઓ લોનથી વંચિત રહી રહ્યા છે. અગાઉના વર્ષોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ-મંત્રીએ આપેલા દાખલાના આધારે લોન આપવામાં આવતી હતી.ઠાકોર-કોળી સમાજના મોટા ભાગના લોકો આર્થિક રીતે નબળા હોવાથી તેમની પાસે પ્રોપર્ટી કાર્ડ…

Read More

ગુજરાત બાર કાઉન્સિલના શુધ્ધિકરણ માટે ગુજરાતના વકીલ મતદારોનો ચક્રવ્યુહ સફળ થશે તો પરિણામ આશ્ચર્યજનક હશે ?!ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ જીતી શકશે જેમને ગુજરાતભરમાંથી સમર્થન મળશે ?!તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સની કચેરીની છે ! ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવારોની છે ! જેમાં ડાબી બાજુથી ગુજરાત બાર કાઉન્સિલના સંભવિત ઉમેદવાર શ્રી પરેશભાઈ જાનીની છે ! બીજી તસ્વીર સંભવિત ઉમેદવાર સર્વ શ્રી મીનાબેન જગતાપની છે ! ત્રીજી તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ! ચોથી તસ્વીર સંભવિત ઉમેદવાર મનીષાબેન પરીખની છે ! પાંચમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી બાબુભાઈ મંગુકીયાની છે !છઠ્ઠી તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે ! સાતમી તસ્વીર સંભવિત ઉમેદવાર શ્રી…

Read More

ખેડૂતની દીકરી નિરમા ઠાકોરએ માત્ર પડકારજનક 41.195કિમીનું અંતર જ પાર ન કર્યું,પરંતુ2કલાક, 49મિનિટ અને07સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસમાં પોતાનું નામ પણ અંકિત કર્યુંઅમદાવાદ, અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા,પાટણ તાલુકાના હાજીપુર ગામની સાદી પૃષ્ઠભૂમિમાંથી આવેલી નિરમા ઠાકોરે19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન2026માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની દીકરી નિરમાએ પડકારજનક41.195કિમીનું અંતર પાર કરી2કલાક, 49મિનિટ અને07સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો.તેમની સિલ્વર મેડલની આ જીત માત્ર રમતગમતની સિદ્ધિ નથી,પરંતુ સહકારથી સમૃદ્ધિનો જીવંત ઉદાહરણ છે,જ્યાં સહકાર વ્યક્તિને સશક્ત બનાવે છે,સમુદાયને ઉન્નત કરે છે અને સપનાઓને હકીકતમાં ફેરવે છે.ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલી નિરમા ઠાકોરની યાત્રા સંઘર્ષ,ત્યાગ અને અડગ સંકલ્પની પ્રેરણાદાયક…

Read More

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ),જે ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક તાલીમ અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ માટે જાણીતી અગ્રણી સંસ્થા છે. એએમએ દ્રારા “હાઉ ટુ બેલેન્સ મીલ્સ” (ભોજનમાં સંતુલન કેવી રીતે જાળવવું) વિષય પર પાંચ દિવસીય સર્ટીફિકેટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ રોજિંદા ભારતીય ખોરાકની આદતો અને આધુનિક પોષણ વિજ્ઞાન પર આધારિત સંતુલિત આહારની વ્યવહારુ અને સરળ સમજ પૂરી પાડે છે. સહભાગીઓ કોઈપણ પ્રકારના ડાયટિંગ,પ્રતિબંધ કે મૂંઝવણ વગર સાદી સામગ્રી,યોગ્ય પ્રમાણ અને જાગૃત આહાર પધ્ધતિઓ દ્રારા સંતુલિત ભોજન બનાવતા શીખશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખોરાક દ્રારા પોષણ,પાચન,ઉર્જા અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.આ પ્રોગ્રામ સેલિબ્રિટી શેફ અને વેલનેસ ગાઈડ શ્રીમતી…

Read More

અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંડા ગામે ૨૬ વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું છે. ૧૫ મી જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલ લઇ જવાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૭મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે મોત નીપજ્યું હતું.આમોદ પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, દાંડા ગામના નિશાળ ફળિયા નવીનગરી વિસ્તારમાં રહેતા વિષ્ણુ પ્રવીણ વસાવા ૧૫મી જાન્યુઆરીના રોજ ઘરે પરત ફર્યા બાદ અચાનક બેભાન થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ભરૂચની સિવિલ…

Read More

અમદાવાદ, ઇસનપુર નજીક આવેલા શાહઆલમ વિસ્તારમાં ભાડેથી રહેતા એક યુવકે મકાન માલિકને ડિપોઝિટ પેટે રૂ. ૨.૨૦ લાખ ચૂકવ્યા હતા. આશરે છ મહિના અગાઉ કોઈ કારણોસર ટોરેન્ટ પાવર કંપનીએ વીજ પુરવઠો બંધ કરી મીટર પણ દૂર કરી લીધું હતું. ત્યારબાદ મકાન માલિકના કહેવા મુજબ ભાડૂઆત યુવક પરિવાર સાથે અન્ય મકાનમાં ભાડેથી રહેવા ગયો હતો. તે સમયે અગાઉ ચૂકવેલી ડિપોઝિટ પરત માગતા મકાન માલિકે રોજબરોજ અલગ-અલગ બહાના બતાવ્યા હતા.લગભગ છ મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ ડિપોઝિટના રૂપિયા પરત ન મળતા અંતે ભાડૂઆતે મકાન માલિક વિરુદ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે.દાણીલીમડાની મોહમદી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને શાહપુરમાં ગેરેજનું કામકાજ કરતા…

Read More

અમદાવાદ, અમદાવાદની ઝોન-૧ એલસીબીએ એક એવા રીઢા વાહનચોરને પકડ્યો છે જેની ગુનાઇત કહાનીની સાથે સાથે જીવનની પણ એક ફિલ્મી કહાની છે. ઝોન-૧ એલસીબીએ એક રીઢા વાહનચોરને પાંચ ટુ વ્હીલર સાથે ઝડપી લીધો છે.આરોપીએ શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો આચરવાનું બાકી રાખ્યું નથી, તેણે અત્યાર સુધીમાં આશરે ૨૦૦ ગુના આચર્યા છે. જેમાંથી ૭૧ ગુના તો પોલીસ ચોપડે નોંધાયા છે.આરોપી માત્ર એક્ટિવા જ ચોરી કરવા પાછળનું કારણ જાણવા પોલીસે પૂછપરછ કરતા પત્નીની બેવફાઇનું કારણ સામે આવ્યું હતું. આરોપીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને પત્નીને એક્ટિવા ભેટ કર્યુ હતું. જોકે, પત્નીએ દગો આપ્યો હતો અને પતિએ આપેલી ભેટનું એક્ટિવા લઇને તે પ્રેમીને…

Read More

અમદાવાદ, અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં ન્યાયિક પ્રક્રિયા તેજ બની છે. ત્યારે તથ્ય પટેલ સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ ત્યાં લોકો લોહીલુહાણ હાલતમાં હતા. ત્યારે રાત્રે તથ્યના પિતા ફોર્ચ્યુનર ગાડી લઇને આવ્યા હતા અને લોકો સાથે ઝઘડો કરી તેને ત્યાંથી લઇ ગયા હતા. આ ઉપરાંત સાક્ષીએ તથ્ય પટેલને કોર્ટ સમક્ષ ઓળખી બતાવ્યો હતો.આ કેસમાં સાત સાક્ષીઓની જુબાની થઇ છે અને તમામે તથ્યને ઓળખી બતાવી ફીટ જુબાની આપી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજવામાં આવશે. ઇસ્કોન બ્રિજ પર ૧૪૧.૨૭ કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી…

Read More

સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયોરાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં4લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ.820કરોડથી વધુની સહાય આપીઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી ::Øવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યુ છે.Øદિવ્યાશા કેન્દ્રો દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ બન્યાં.Øદિવ્યાંગ ખેલાડીઓ વિશ્વકક્ષાની રમતોમાં વધુ મેડલ મેળવે તેની તાલીમ માટે ગાંધીનગરમાં રૂ.316કરોડના ખર્ચે પેરા એથલિટ્સ હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે.Ø‘સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત’ના વિઝન સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા10વર્ષોમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.વડાપ્રધાન…

Read More