સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં4લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ.820કરોડથી વધુની સહાય આપીઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::મુખ્યમંત્રીશ્રી ::
Øવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યુ છે.
Øદિવ્યાશા કેન્દ્રો દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ બન્યાં.
Øદિવ્યાંગ ખેલાડીઓ વિશ્વકક્ષાની રમતોમાં વધુ મેડલ મેળવે તેની તાલીમ માટે ગાંધીનગરમાં રૂ.316કરોડના ખર્ચે પેરા એથલિટ્સ હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે.
Ø‘સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત’ના વિઝન સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા10વર્ષોમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અનેક ક્રાન્તિકારી બદલાવ આવ્યા છે: કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
દિવ્યાંગજનોને મુખ્ય પ્રવાહમાં લાવવાની સંવેદનશીલ પહેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી:કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે દિવ્યાંગજનોના હિતમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યાં છે.
ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું,

