Author: gujarat

Marital Rights and Consent: ગુજરાત હાઈકોર્ટે ગુરુગ્રામના એક બિઝનેસમેનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ બિઝનેસમેન પર તેની પત્નીએ ગંભીર જાતીય સતામણી અને દહેજ ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. આ મામલો અમદાવાદની ડીસીબી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદથી સામે આવ્યો છે. મહિલાએ તેના પતિ, સાસુ અને સસરા પર દહેજ માંગવા અને શોષણ કરવાના આક્ષેપો કર્યા હતા. મહિલાનો આરોપ છે કે પતિએ તેની સાથે બળજબરીથી અકુદરતી શારીરિક સંબંધો બાંધ્યા અને લગ્ન દરમિયાન અનેકવાર તેની ઈચ્છા વિરુદ્ધ સંબંધો બનાવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે સસરાએ તેની છેડતી કરી હતી અને પતિએ તેને બચાવવાને બદલે મૌન સેવી લીધું હતું. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે…

Read More

ઊંઝા, ઊંઝા શહેરમાં કેટલાક દિવસોથી કમળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં નોંધાયેલા કમળાના પાંચ કેસ પૈકી ૩ દર્દીએ પાણીપુરી ખાધા બાદ તકલીફ થયાનું જણાવ્યું હતું.આથી ઊંઝા નગરપાલિકા તંત્રએ આકરાં પગલાં ભરતાં શહેરમાં પાણીપુરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પાલિકાની ટીમ દ્વારા પાણીપુરીના વિવિધ ઉત્પાદન સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાંથી બે સ્થળે બટાકાનો જથ્થો જપ્ત કર્યાે હતો જ્યારે એક સ્થળેથી પુરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.ઊંઝા શહેરમાં કમળાના દર્દીઓ નોંધાતાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં નોંધાયેલા કમળાના પાંચ દર્દી પૈકી ત્રણ દર્દીએ પાણીપુરી ખાધી હોવાનું બહાર આવ્યું હતું. આથી ઊંઝા પાલિકા દ્વારા પાણીપુરી…

Read More

અમદાવાદ , શહેરના રામોલ વિસ્તારમાં નોંધાયેલા અને દેશભરમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના હાઈપ્રોફાઈલ કેસમાં પકડાયેલા આરોપી ગૌરવ ઉર્ફે ગૌરાંગ જયંતીભાઈ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.આરોપીએ ઓછું ભણેલા લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ તેમના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ઠગાઈના નાણાંની હેરાફેરી માટે ઉપયોગ કર્યાે હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે, ભોળા લોકોના નામે ૪૦ એકાઉન્ટ ખોલાવી એક જ મહિનામાં ૧.૪૮ અબજથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા, દેશભરમાં ૧૧૭ ફરિયાદો નોંધાઇ છે.કરોડોના સાયબર ફ્રોડ કેસમાં આરોપી ગૌરવ ઉર્ફે ગૌરાંગ પટેલે પોતાની મુક્તિ માટે નિયમિત જામીન મેળવવા અરજી કરી એવી રજૂઆત કરી…

Read More

ગોંડલ, મકરસંક્રાંતિના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય પતંગબાજીના આનંદમાં ડૂબેલું હતું, ત્યારે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં તીક્ષ્ણ હથિયારો ઉડ્યા હતા.આ હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા ૩૦ વર્ષીય યુવકનું મોત નીપજતા ઉત્સાહનો તહેવાર શોકમાં ફેરવાયો હતો.મળતી માહિતી અનુસાર, ઘટના ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં બની હતી. જ્યા મકરસંક્રાંતિના દિવસે બંને પરિવારો પોતપોતાની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા.આ દરમિયાન પતંગ ચગાવવા જેવી મામૂલી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના સભ્યો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા…

Read More

અમદાવાદ, શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એઆઈયુએ એક વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યાે હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા ૪૨,૦૬,૩૪૦ની કિંમતની વિદેશી નોટો જપ્ત કરી હતી. આ ચલણી નોટો જપ્ત કરીને તેના સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.મળતી જાણકારી પ્રમાણે, કસ્ટમ્સ વિભાગને ચોક્કસ ગુપ્ત રાહે માહિતી મળી હતી કે એક મુસાફર ગેરકાયદે રીતે મોટી માત્રામાં વિદેશી ચલણની નિકાસ કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ વોચ ગોઠવી હતી.તપાસ દરમિયાન, અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિયેટજેટ એર…

Read More

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લીંબડીમાં પ્રેમ લગ્ન મુદ્દે ખુની ખેલ ખેલાયો હતો. લીંબડીના લિયાદ ગામના હિતેષભાઈ હેમુભાઈ સુરેલા પરિવારના અન્ય બે સભ્યો સાથે લીંબડીમાં પતંગ અને દોરીની ખરીદી કરવા આવ્યા હતા તે સમયે પાંચથી છ અજાણ્યા શખ્સોએ શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક છરી અને લાકડી વડે હુમલો કરી ગણતરીની મિનિટોમાં યુવાનની કરપીણ હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા.પાંચથી છ લોકો લાકડી અને છરી વડે યુવક પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.હત્યા સમયે બજારમાં અનેક લોકોની હાજરીમાં હુમલાખોરો આ હિચકારી કૃત્ય કર્યું હતું, પરંતુ કોઈપણ તે લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યાે ન હતો.હુમલામાં અન્ય એક યુવાનને પણ છરી વાગી જતાં ઇજાગ્રસ્ત…

Read More

અમદાવાદ, અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ગત રાતે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખસોએ એક યુવકની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે અમરાઈવાડીમાં રહેતા ૨૩ વર્ષીય રાહુલ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાહુલે તેના નાના ભાઈ ચિરાગની હત્યા અંગે મંથન ઉર્ફે રૂત્વિક પરમાર તથા જયદિપ શાહ, હર્શીલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. સમાધાન કરવાના બહાને બોલાવીને આ શખસોએ…

Read More

કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવાનો છે.(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ભવ્ય સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો ભારતીય સશસ્ત્ર દળો – આર્મી, નેવી, એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) તથા કેન્દ્રીય અર્ધસૈન્ય દળો (CAPFs)ના સંકલનથી યોજાશે.રક્ષા મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર આ બેન્ડ પ્રદર્શન 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવો તેમજ રાષ્ટ્રપ્રેમ, એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમના મૂલ્યોને ઉજાગર કરવો છે.આ અંતર્ગત ગુજરાતના વિવિધ…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, ઉતરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીના કારણે ગળામાં ઇજા અને પડી જવાના કારણે ઇજા થવા ના બનાવો સામે વધુ આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ખાતે દોરીના કારણે ગળામાં ઇજાના કેસો સામે આવ્યા હતા અને તેઓને સારવાર આપવામાં આવી હતી.ઉતરાયણના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કુલ 128 લોકોને ગળામાં ઇજા થઈ હોવાની સારવાર આપવામાં આવી હતી જેમાં 120 જેટલા દર્દીઓને સારવાર આપી અને રજા આપવામાં આવી હતી.જ્યારે આઠ જેટલા દર્દીઓ હાલ દાખલ છે જેમાં સૌથી વધારે મણિનગર ની અરજી હોસ્પિટલમાં 6, શારદાબેન હોસ્પિટલમાં અને વીએસ હોસ્પિટલમાં એક – એક…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ,ઉતરાયણના તહેવારમાં પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી દોરીઓ રોડ પર નાખી દેવામાં આવે છે. કપાયેલી પતંગ અને દોરીઓના કારણે અકસ્માતની સંભાવના રહેતી હોય છે.જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા રોડ પરથી દોરીઓ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બીઆરટીએસ રૂટ, નેશનલ હાઈવે, જાહેર રોડ બ્રિજ અને સોસાયટીઓના રોડ પરથી કપાયેલી પતંગ અથવા નકામી દોરીઓને રોડ પરથી એકત્રિત કરી લેવામાં આવી છે.15 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી બંને દિવસને દોરીઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજે 50 કિલોથી વધારે નકામી દોરીઓ શહેરમાંથી બે દિવસ દરમિયાન એકત્રિત કરવામાં આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પતંગ…

Read More