Author: gujarat

બોટાદ, ગઢડા તાલુકાના ઢસા ગામે પાંચેક વર્ષ પૂર્વે પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદની સજાનો કોર્ટે હુકમ કર્યાે છે.બોટાદમાં રહેતા અહેમદભાઈ હારૂનભાઈ ગેલેરિયાના બહેન સુફિયાબેનના વર્ષ ૨૦૦૮માં ઢસા ગામે રહેતો આશીફ કાદરભાઈ હુનાણી નામના શખ્સ સાથે નિકાહ થયા હતા. લગ્ન બાદથી જ શખ્સ તેની પત્ની ઉપર શંકા-કુશંકા કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હોય, દરમિયાનમાં ગત તા.૨૦-૨-૨૦૨૧ના રોજ આશીફે ઉશ્કેરાઈ જઈ સુફિયાબેનને ઘરના ફળિયામાં આવેલ પાણીના હોજમાં પાટું મારી પાડી દઈ બાદમાં ગળું પકડી ડૂબાડી હત્યા કરી નાંખી હતી.જે બનાવ અંગે અહેમદભાઈએ ઢસા પોલીસમાં આશીફ હુનાણી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ અંગેનો કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ…

Read More

બગોદરા, ગુજરાતની મહિલાઓ માટે ‘૧૮૧ અભયમ‘ સાચી સહેલી બની થજ. વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાંથી કુલ ૧,૮૩,૫૨૦ કોલ્સ નોંધાયા હતા. આ પૈકી ૩૭,૩૮૦ જેટલા અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી કરી હતી.આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદ જિલ્લો ૪૧,૯૬૬ કોલ્સ સાથે મોખરે રહ્યો છે, જ્યાં ૮,૫૫૩ કિસ્સાઓમાં રેસ્ક્યુ વાન દ્વારા સ્થળ પર મદદ પહોંચાડવામાં આવી હતી. અભયમની કુશળ ટીમે ૫,૮૫૨ કિસ્સાઓમાં પારિવારિક સુખદ સમાધાન કરાવી અનેક પરિવારોને તૂટતા બચાવ્યા છે.અભયમ પર આવતી ફરિયાદોમાં ઘરેલું હિંસાના સૌથી વધુ ૧૯,૮૬૬ કિસ્સાઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શારીરિક-માનસિક સતામણી, લગ્ન જીવનના વિખવાદો અને સોશિયલ મીડિયા પર થતી હેરાનગતી જેવી સમસ્યાઓનું પણ કાઉન્સિલિંગ…

Read More

મિત્રતાના ૫૦ યાદગાર વર્ષોની ઉજવણી નિમિત્તે ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત દ્રારા‘ગોલ્ડફેસ્ટ‘નું૧૦થી ૧૪ જાન્યુઆરી,૨૦૨૬ સુધીઆયોજન-શિઝુઓકા અને હામામાત્સુ ગોલ્ડફેસ્ટમાં સહભાગી થશેપતંગ,સંગીત અને માચા આકર્ષણનું કેન્દ્ર-મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલેટ જનરલના કલ્ચરલ અફેર્સના કોન્સ્યુલ શ્રી મેગુમી શિમાદા દ્રારા એએમએ ખાતે ભવ્ય જાપાનીઝ પતંગ પ્રદર્શન “પતંગ-ઓ-દોરી” નું ઉદ્ઘાટન કરાયું ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત (IJFA)એ પાંચ દાયકાથી વધુ સમયથી અનન્ય ઓળખ અને સદ્ભાવનાનો આનંદ માણ્યો છે, જે ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ ધપાવવામાં અગ્રેસર છે. ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશનગુજરાત દ્રારા ગર્વભેર તેની સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે,જે ૧૯૭૫માં તેની સ્થાપનાથી લઇ અત્યાર સુધીના ૫૦ યાદગાર વર્ષોનું પ્રતિક અને ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ…

Read More

ગુજરાતની મુકાલાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજીત સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યાં બાદ પ્રધાનમંત્રી કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યાં હતા. અહીં તેમણે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ આવ્યા હતા. તેમણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. સોમવારે તેઓ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે. તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીના રોજઅમદાવાદમાં જર્મનીના ફેડરલ ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે.સવારે લગભગ9:30વાગ્યેબંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત…

Read More

(તસ્વીરઃ અશોક જોષી) ચીખલી આલીપોર ખાતે વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (વસુધરા ડેરી)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની યોજાયેલી ચૂંટણીમાં રાજેશભાઈ ભીખુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સીતાબહેન દિલીપભાઈ જાદવનો જવલંત વિજય થયો હતો આગામી અઢી વર્ષના શાસનની ધુરા રાજેશભાઈ પટેલ અને સીતા બહેન જાદવ સંભાળશે ડેરીમાં ૪૦ વર્ષથી વધુના ઇતિહાસમાં લાંબા સમય બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી વસુધારા ડેરીના સભાખંડમાં ચીખલીના પ્રાંત અધિકારી મિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ભાજપ તરફી કિશોરભાઈ હરિભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતીજ્યારે વાઇસ ચેરમેન તરીકે કલ્પનાબહેન પ્રદીપભાઈ…

Read More

(પ્રતિનિધિ)વલ્લભ વિદ્યાનગરઃ ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ને શનિવારના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.આ શૈક્ષણિક મહોત્સવમાં જેસીબી ઈન્ડિયા લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક શેટ્ટીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે સી.ઝેડ. પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન શ્રી સી. ઝેડ. પટેલે હાજરી આપી હતી.આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૨૭૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૧૯૭૮ યુવકો અને ૮૧૦ યુવતીઓનો સમાવેશ થાય છે.શૈક્ષણિક આંકડા મુજબ…

Read More

શિવ સાધના બાદ વડાપ્રધાન મોદીનું સંબોધન – વડાપ્રધાન -સોમનાથ મંદિર સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા – તેમણે અહીં ૧૦૮ અશ્વો સાથે કાઢવામાં આવેલી શૌર્ય યાત્રામાં પણ હાજરી આપીસોમનાથ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સોમનાથ મંદિર સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા હતા. તેમણે અહીં ૧૦૮ અશ્વો સાથે કાઢવામાં આવેલી શૌર્ય યાત્રામાં પણ હાજરી આપી હતી. આ શોભાયાત્રા સોમનાથ મંદિરની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપનારા અગણિત વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાઢવામાં આવી હતી, જે શૌર્ય, સાહસ અને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે.ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીના આગમનના કારણે આખા સોમનાથનું વાતાવરણ ભક્તિમય બની ગયું…

Read More

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ રેલખંડોમાં રેલવે લાઇન ઉપર25,000વોલ્ટ (25કિલોવોલ્ટ)ના ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE)હાઇ-વોલ્ટેજ તાર સ્થાપિત છે. ઘણીવાર જોવા મળે છે કે પતંગ ઉડાવતી વખતે દોરી આ તારાઓમાં ફસાઈ જાય છે. કેટલીક દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે,જેના કારણે કરંટ નીચે સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિ પતંગ ઉડાવનાર વ્યક્તિઓ,રેલવે ટ્રેકની નજીકથી પસાર થનારા નાગરિકો તથા ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.•અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાનઅમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,જેના અંતર્ગત રેલવે પાટા આસપાસ રહેતા નાગરિકોને કાઉન્સેલિંગ…

Read More

આનંદપુરા કંપામાં પ્રભુ રામના રાજ્યાભિષેક સાથે રામકથાની પુર્ણાહુતી(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજ ના વ્યાસપીઠે સાત દિવસથી ચાલી રહેલી રામચરિત માનસ કથાની આજે શનિવારે પૂર્ણાહુતિ થઈ હતી આ ઐતિહાસિક રામકથા યાદગાર બની હતી હજારો ભાવિકોર કથારસ પાન કરી ધન્યતા અનુભવી હતી.આજે અંતિમ દિવસે પણ કથા બે સત્રમાં રહી હતી રામ ચરિતમાનસ જ્ઞાન અમૃત છે પણ આપણા મન ચિત્ત માંથી અશુદ્ધિઓ પહેલા કાઢીશું નહિ તો આ દિવ્ય કથા આપણામાં ઉતરશે નહી -આ વાત ને અનેક ઉદાહરણો દ્વારાપૂજ્ય મહારાજે સમજાવ્યું હતું અંતિમ સમયે જો કોઈપણ વસ્તુમાં જો વાસના રહી…

Read More

પંચમહાલ જિલ્લા પોલીસની સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી(પ્રતિનિધિ)ગોધરા, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના પાવાગઢ રોડ ઉપર સાંઈ બાબાના મંદિર પાસે આવેલા ફુટપાથ પરથી અપહરણ થયેલ ૫ માસના બાળકને પંચમહાલ જિલ્લા પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢી તેની માતા સાથે મિલન કરાવ્યું છે.ગઈ તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ ફરીયાદી શ્રીમતી આશાબેન અર્જુનભાઈ દેતાણી પાવાગઢ રોડ ઉપર પોતાના બાળકો સાથે ફુટપાથ પર સુઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના બાર વાગ્યાની આસપાસ એક અજાણી મહિલાએ તેમની પાસે સુઈ રહેલ ૫ માસના બાળકનું અપહરણ કર્યું હતું. આ અંગે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક…

Read More