યુવકનો અંગત પળોનો વીડિયો ઉતારી ૧૦ કરોડ માગ્યા, -યુવકને પ્રેમજાળમાં ફસાવીને છૂપી રીતે અંગતપળનો વીડિયો બનાવ્યોએક યુવકને યુવતી સાથે પ્રેમમાં ફસાવી તેનો ન્યુડ વીડિયો બનાવીને રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગનારા એક મહિલા અને સ્થાનિક અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે.(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં હનીટ્રેપથી લોકોને ફસાવી મોટી રકમનો તોડ કરવો બે પત્રકારોને ભારે પડ્યો છે. એક યુવકને પ્રેમમાં ફસાવી તેનો ન્યુડ વીડિયો બનાવીને રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગનારા એક મહિલા અને સ્થાનિક અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે. આ બંનેએ એક યુવકને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્લાન બનાવ્યો હતો.મુખ્ય આરોપી મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. મહિલાએ…
Author: gujarat
ગાંધીનગર, રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે.જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.મંત્રી મોઢવાડિયાએ કહ્યું…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગેંગવાર અને અસામાજિક તત્વોનો ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરાઈવાડીની કુખ્યાત ‘સત્યા ગેંગ’ એ હવે વટવા જીઆઈડીસી અને હાથીજણ વિસ્તારમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. કમ્પ્યૂટર ક્લાસ ચલાવતા એક નિર્દોષ યુવક અને તેના પિતા પર ગત રાત્રિના સમયે જીવલેણ હુમલો કરી આ ગેંગે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડ્યાં છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ભોગ બનનાર યુવક અને તેના પિતાએ થોડા મહિનાઓ પહેલા સત્યા નામના શખ્સની દુકાન કમ્પ્યૂટર ક્લાસ ચલાવવા માટે ભાડે રાખી હતી.દુકાન જર્જરિત હોવાથી ભાડુઆતે તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી સમારકામ કરાવ્યું હતું. આ ખર્ચની રકમ ભાડા પેટે મજરે (સરભર) કરવાનું કહેતા મકાનમાલિક સત્યા…
માત્ર નિ:શુલ્ક સારવાર જ નહીં, પણ એક આશા વર્કર તરીકેની તેમની સેવાને બિરદાવવા માટે સાલ હોસ્પિટલ પરિવાર દ્વારા તેમનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું. અમદાવાદ, અમદાવાદની જાણીતી સાલ હોસ્પિટલ (SAL Hospital) ફરી એકવાર તેની ઉત્કૃષ્ટ તબીબી સેવા અને માનવતાવાદી અભિગમ માટે ચર્ચામાં છે. તાજેતરમાં હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો, જે સાબિત કરે છે કે તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં પણ સેવાનો પર્યાય છે.આ કિસ્સો એક એવા દર્દી સાથે જોડાયેલો છે જે ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેમને તાત્કાલિક જટિલ સર્જરીની જરૂર હતી. દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, સાલ હોસ્પિટલના તબીબો અને મેનેજમેન્ટે વિલંબ કર્યા વિના સારવાર…
Ahmedabad, January 10, 2026: અત્યંત ઝેરી અને જીવલેણ જંતુનાશક દવા પૈકીની એક પેરાક્વેટનું સેવન કરનારા સાણંદના 30 વર્ષીય યુવકનો સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સમયસર અને આધુનિક તબીબી સારવારના કારણે જીવ બચી ગયો છે. Sterling Hospitals Successfully Treats Rare and Fatal Paraquat Poisoning Case, 30 Year Old Man Survivesઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં મળેલી તાત્કાલિક અને નિષ્ણાત સારવારથી આ ગંભીર હાલતમાં પણ દર્દીને નવજીવન મળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ કેસ અતિ ગંભીર હતો અને સમયસર જો સારવાર ન મળી હોત તો તેનું મૃત્યુ પણ નીપજ્યું હોઈ શક્યું હોત.સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદના ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડો. તપન શાહે જણાવ્યું હતું કે, પેરાક્વેટ સૌથી જીવલેણ…
ગાંધીનગરમાં વકરેલા પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાને પગલે વડોદરામાં ખાણી-પીણીના એકમો પર સઘન ચેકિંગ ખોડિયાર નગરમાં લવ્લી સ્વીટ નામની મીઠાઈ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડતા 7.50લાખની કિમતની અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.વડોદરા, ગાંધીનગરમાં વકરેલા પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાને કારણે સરકારના આદેશને પગલે ખાણી-પીણીના એકમો પર છેલ્લા ત્રણ ચાર દિવસથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ફૂડ સેફટી ઓફિસર ગોહિલ અને તેમની ટીમ દ્વારા ખોડિયાર નગરમાં લવ્લી સ્વીટ નામની મીઠાઈ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડતા સાડા સાત લાખની કિમતની ૧૩ર૦૦ કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના ખોરાક…
“વેલકમ ૨૦૨૬”, “પુષ્પા”, “ઓપરેશન સિંદૂર” અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ પર્વ બાળકો, યુવાઓથી લઈને તમામ વયના લોકો માટે ઉત્સાહ અને આનંદનો તહેવાર છે. આ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઉતરાયણની તૈયારીઓ ધીમે ધીમે તેજ બની રહી છે. પતંગ અને દોરાના શોખીનો માટે બજારો વેપારીઓ દ્વારા સજ્જ કરી દેવામાં આવ્યા છે.આ વર્ષે બજારમાં ચીલ, ખંભાતી, પંજાબી તેમજ “વેલકમ ૨૦૨૬”, “પુષ્પા”, “ઓપરેશન સિંદૂર” અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. બીજી તરફ દોરાની વાત કરીએ તો…
ગાંધીનગર, ગુજરાતના માર્ગ અને મકાન ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૪૧ જેટલા માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે કુલ ₹૧,૦૭૮.૧૩ કરોડની માતબર રકમની મંજૂરી આપી છે. આ તમામ પ્રોજેક્ટ્સ ‘સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ (CRIF) અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. Rs. 1,078 crore approved from the Central Road Infrastructure Fund for 41 works of roads under the Gujarat State Governmentઆ મંજૂર કરાયેલી રકમ દ્વારા રાજ્યમાં કુલ ૫૬૪.૫૭ કિલોમીટર લાંબા માર્ગોનું નવીનીકરણ અને વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને મુખ્ય જિલ્લાઓ વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.આ ફંડિંગથી રાજ્યના…
અમદાવાદ | ૦૯મી જાન્યુઆરી ૨૦૨૬ —માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુવારે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત ૯ જાન્યુઆરીના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.શહેરના ભાવિ વિકાસ, શહેરી આયોજન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગામી પડકારો અને શક્યતાઓ પર ચર્ચા કરવા માટે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડના ભાગરૂપે ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ‘ધ વિઝનરીઝ પેનલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
નિષ્ણાંતો દ્વારા “અગ્નિ સુરક્ષા અને ફાયર સેફ્ટી” તથા “પ્રાથમિક સારવાર અનેCPRતાલીમ” વિષયક અધિકારી-કર્મચારીઓને અપાઈ તાલીમવિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ–કર્મચારીઓ માટે બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ આપવાની સજ્જતા અને સુરક્ષા કૌશલ્ય વધારવાના હેતુસર આયોજિત આ તાલીમ શિબિર વહીવટી કાર્યક્ષમતાની સાથે આપત્તિ વ્યવસ્થાપન તથા માનવીય સુરક્ષાને પ્રાધાન્ય આપતી દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી.આ તાલીમ શિબિરના પ્રથમ દિવસે તા. ૮ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ “અગ્નિ સુરક્ષા અને ફાયર સેફ્ટી” વિષયક વિશેષ તાલીમ યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસના નિયામક શ્રી નલીનકુમાર ચૌધરી તથા તેમની ટીમના નિષ્ણાંતોએ તાલીમ આપી…
