અમદાવાદ.
થોડા દિવસો પહેલા અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કાપડના વેપારીને માર મારવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ કેસમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કાલુપુરના રેવાડી બજારમાં ગીરધર નિગમના નામે ઓમપ્રકાશ સોનેજા (રહે. ધરમનગર સોસાયટી, સાબરમતી) મહિલાઓના કપડાનો ધંધો કરે છે. 7 મેના રોજ પાલ સહિત બે યુવકો તેમની દુકાને આવ્યા હતા. તેમણે કહ્યું કે રવિવારે દુકાન ખુલ્લી હોવાથી પૈસા ચૂકવવા પડશે. જોકે, ઓમપ્રકાશએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેથી આરોપીએ ત્યાં રમતા છોકરાઓ પાસેથી બેટ લઈ ઓમપ્રકાશને માર માર્યો હતો.
આ ઘટનામાં ઘાયલ થયેલા ઓમપ્રકાશ સોનેજાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ઓમપ્રકાશની ફરિયાદના આધારે કાલુપુર પોલીસે થોડા દિવસોમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પાલ અને અન્ય બેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.