અમેરિકા દ્વારા જહાજને પકડવાથી ઈરાન નારાજ છે. અહેવાલ છે કે ઈરાને આ મામલે પાકિસ્તાન સાથે વાત કરી છે અને અમેરિકાની કાર્યવાહી સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ખાસ વાત એ છે કે ઈરાન ઈસ્લામાબાદમાં થનારી વાતચીતના બીજા રાઉન્ડથી દૂરીનો સંકેત આપી રહ્યું છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઈરાનના પ્રતિનિધિઓ પાકિસ્તાન જશે કે નહીં. અહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ પોતાની ટીમને વાતચીત માટે મોકલવાની જાહેરાત કરી ચૂક્યા છે.
પાકિસ્તાન સામે અમેરિકાની ફરિયાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી છે. પેજેશકિયને અમેરિકાની કાર્યવાહીને ગુંડાગીરી અને મનસ્વી વલણ ગણાવ્યું છે. તેમણે પાકિસ્તાની પીએમને એમ પણ કહ્યું કે આ ઘટનાએ આશંકા વધારી દીધી છે કે અમેરિકા તેની જૂની ક્રિયાઓનું પુનરાવર્તન કરશે અને ‘કુટનીતિ સાથે વિશ્વાસઘાત’ કરશે.
શું થયું
અમેરિકાએ ઈરાનના ધ્વજવાળા જહાજ સામે કાર્યવાહી કરીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. હવે અમેરિકન સેન્ટોમે ઈરાનના માલવાહક જહાજ ટુસ્કા વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપી છે. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, ‘જ્યારે તુસ્કાના ક્રૂએ છ કલાકના સમયગાળા દરમિયાન વારંવારની ચેતવણીઓ છતાં તેનું પાલન કર્યું ન હતું, ત્યારે સ્પ્રુન્સે જહાજને તેના એન્જિન રૂમને ખાલી કરવા નિર્દેશ આપ્યો હતો.’ સ્પ્રુન્સે જહાજની 5 ઇંચની Mk 45 તોપમાંથી તુસ્કાના એન્જિન રૂમમાં અનેક શેલ ફાયર કરીને પ્રોપલ્શન બંધ કર્યું. સેન્ટકોમે કહ્યું કે ઈરાની જહાજ હાલમાં અમેરિકાના નિયંત્રણમાં છે.

