જાપાનમાં સોમવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 હતી. જાપાનના હવામાન વિભાગ (JMA) એ સુનામીની ચેતવણી જાહેર કરી છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારો નજીક રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે. તે જ સમયે, વડા પ્રધાન કાર્યાલયે કહ્યું છે કે આ કુદરતી આફતને લઈને એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. આ પહેલા 2011માં જાપાનમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
જેએમએ કહ્યું છે કે ભૂકંપ જાપાનના ઉત્તર ભાગમાં આવ્યો છે. વિભાગે કહ્યું છે કે તેની અસરથી સુનામી આવી શકે છે, જેના મોજા લગભગ 10 ફૂટ ઊંચા થવાની ધારણા છે. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે 4:53 કલાકે આવ્યો હતો. ઉત્તરી ઇવેટ પ્રીફેક્ચરના પેસિફિક મહાસાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની અસર દૂર સુધી જોવા મળી હતી. તેના આંચકા એટલા જોરદાર હતા કે સેંકડો કિલોમીટર દૂર ટોક્યોની મોટી ઇમારતો પણ ધ્રૂજી ઊઠી.
સુનામી ચેતવણી
વિભાગે કહ્યું છે કે સુનામીના મોજા થોડા સમયની અંદર ઉત્તરીય કિનારે પહોંચી શકે છે. તેમણે કહ્યું, ‘તટીય વિસ્તારો અને નદી કિનારાના વિસ્તારોમાં તરત જ સુરક્ષિત સ્થાન જેમ કે ઊંચી જમીન અથવા સુરક્ષિત મકાન પર જાઓ.’ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સુનામીના મોજા મોટાપાયે નુકસાન કરી શકે છે.
JMAએ કહ્યું, ‘આશંકા છે કે સુનામીનાં મોજાં વારંવાર દરિયાકાંઠે અથડાશે. જ્યાં સુધી ચેતવણી ઉપાડવામાં ન આવે ત્યાં સુધી સુરક્ષિત સ્થાન પર રહો.

