દિગ્દર્શક રોહિત શેટ્ટી તેની પ્રખ્યાત બ્લોકબસ્ટર કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ અંગેના મીડિયા અહેવાલોથી ખૂબ નારાજ દેખાય છે. તાજેતરમાં એક વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ગોલમાલ 5’ ક્લાસિક ફિલ્મ ‘દો ઔર દો પાંચ’થી પ્રેરિત હશે. આ વાતને સંપૂર્ણપણે ફગાવી દેતા નિર્દેશકની ટીમે કહ્યું છે કે ‘ગોલમાલ 5’ અને ‘દો ઔર દો પાંચ’ વચ્ચેની લિંકના સમાચાર સંપૂર્ણપણે ફેક છે. તેમજ આવી અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી હતી.
રોહિત શેટ્ટીની ટીમે શું કહ્યું?
રોહિત શેટ્ટીની ટીમે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફિલ્મ ‘ગોલમાલ 5’ને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તે ન તો 1980ની ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ પરથી પ્રેરિત છે અને ન તો તેના પર આધારિત છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘ગોલમાલ 5’ સંબંધિત માહિતી માત્ર સત્તાવાર સ્ત્રોતોમાંથી જ લેવી જોઈએ. જો કોઈ આવા ખોટા અહેવાલો પ્રકાશિત કરશે અથવા શેર કરશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
અક્ષય ગોલમાલમાં હોઈ શકે છે
અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, શર્મન જોશી અને કુણાલ ખેમુ ફરી એકવાર ‘ગોલમાલ 5’માં અજય દેવગન સાથે જોવા મળશે, અક્ષય કુમારના પણ હોવાના પૂરેપૂરા ચાન્સ છે. તેનું શૂટિંગ આ મહિને ફિલ્મ સિટી મુંબઈમાં શરૂ થવાની ધારણા છે અને તે આવતા વર્ષે સ્ક્રીન પર આવવાની ધારણા છે. જોકે, રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ બાદ સુરક્ષાને લઈને મોટી ચિંતા છે. રોહિત શેટ્ટીની સુરક્ષામાં વધારો કર્યા બાદ હવે મુંબઈ પોલીસ પણ ફિલ્મની શરૂઆત પહેલા સેટ અને કાસ્ટની સુરક્ષાને લઈને ચર્ચા કરી રહી છે. તમને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે.

