ક્રિકેટ સ્કોટલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ટ્રુડી લિન્ડબ્લેડને વિશ્વાસ છે કે તેમની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ કરવા માટે સમયસર વિઝા મળશે.
બાંગ્લાદેશે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને ભારતમાં રમવાનો ઇનકાર કર્યા પછી, તેની જગ્યાએ સ્કોટલેન્ડને T20 વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં કોઈ પણ રીતે સુરક્ષા માટે કોઈ ખતરો નથી.
સ્કોટલેન્ડ 7 ફેબ્રુઆરીએ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
આ પણ વાંચોઃ T20 WCમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે સ્કોટલેન્ડની ટીમની જાહેરાત, AFG ખેલાડીને મળી તક
પાકિસ્તાની મૂળના ફાસ્ટ બોલર સફયાન શરીફ પણ સ્કોટલેન્ડની ટીમમાં સામેલ છે. ભારતીય વિઝા માટે અરજી કરતા પાકિસ્તાની મૂળના અરજદારોની વધુ સઘન તપાસ કરવામાં આવે છે, જેના કારણે પ્રક્રિયામાં વધુ સમય લાગે છે.

