કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિમીના અંતરે નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભૂકંપ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
કચ્છમાં બપોરે 1.09 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે અચાનક આવેલા આંચકાથી કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાદ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.