યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી મૃત્યુના આરે છે. મંગળવારે રશિયા દ્વારા છોડવામાં આવેલ ડ્રોન સીધુ તેમના પ્લેન સુધી પહોંચી ગયું હતું. જોકે, યોગ્ય સમયે આ વાતની જાણ થતાં જ પ્લેનનું ટેકઓફ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું, જેના કારણે ઝેલેન્સકીનો જીવ બચી ગયો હતો. નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 4 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. અત્યાર સુધી આ યુદ્ધમાં બંને દેશોના હજારો સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. જો કે બંને તરફથી હજુ પણ હુમલા ચાલુ છે. દરમિયાન, ઝેલેન્સકીના જીવને ખતરો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
આ ઘટનાની જાણકારી સૌથી પહેલા નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે આપી હતી. સ્ટોરે જણાવ્યું કે ઝેલેન્સકી મોલ્ડોવાથી ઓસ્લો જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રવાસ દરમિયાન એક ડ્રોન યુક્રેનના રાષ્ટ્રપતિના વિમાનની ખૂબ નજીક આવી ગયું. જોકે, કોઈ અથડામણ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. તમને જણાવી દઈએ કે ઝેલેન્સકી મંગળવારે સાંજે નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા હતા.
નોર્વેની એક ચેનલ સાથે વાત કરતા પીએમ સ્ટોરે કહ્યું, “જ્યારે ઝેલેન્સકીનું પ્લેન મોલ્ડોવાથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે તે કોઈક રીતે ડ્રોન સાથે અથડાતા બચી ગયો હતો. ઝેલેન્સકી અત્યારે આ વાસ્તવિકતા સાથે જીવી રહ્યો છે.” હકીકતમાં, નોર્વેના પીએમ કહેવા માંગે છે કે ઝેલેન્સકીના જીવનને સતત ખતરો છે. જોકે તેણે એ નથી જણાવ્યું કે ડ્રોન ક્યાંથી આવ્યું છે.

