તાબે રાધનપુરના દેવદીવાસમાં રહેતો ગરો ભરતભાઈ મગનભાઈ (ઉંમર 37) વડપાસર તળાવ પાસે સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણસર સાઈકલ તળાવના કિનારે છોડીને તળાવમાં ઝંપલાવ્યું હતું. તળાવમાં યુવકના ડૂબી જવાના સમાચાર રાધનપુર નગરમાં આગની જેમ ફેલાતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. યુવકની લાશને શોધવા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. પોલીસને ઘટનાની માહિતી મળતા જ પોલીસ તળાવ પર આવી ગઈ હતી. મૃતદેહને રાધનપુર સરકારી દવાખાને લઇ જવાયો હતો.