શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મા અંબાના ધામ તરીકે વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે માતાજીના ધામ અંબાજી ખાતે દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આ સાથે જ દેશના અનેક VIP નેતાઓ અને કલાકારો પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લે છે.આજે લોકપ્રિય સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી અંબાજી મંદિરે દર્શન માટે પહોંચી હતી. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકપ્રિય સિરિયલ અનુપમ્માની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ શુક્રવારે બપોરે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે માતાજીના ચરણોમાં માથું ટેકવીને આશીર્વાદ આપ્યા હતા. લોકપ્રિય સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરમાં માતાજીની વિશેષ પૂજા કરી હતી. આ જ મંદિરમાં અંબીકેશ્વર મહાદેવ પર મહાદેવની પૂજા કરવામાં આવી હતી અને જલાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આ પછી, તેઓ મંદિરના સિંહાસન પર ગયા અને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા અને રક્ષા કવચ બાંધ્યા.