ધંધાકીય હરીફાઈમાં એકબીજાથી આગળ નીકળવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
(GNS),તા.16
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાનગી કંપનીના લેબર કોન્ટ્રાક્ટની અદાવતના કારણે અન્ય કોન્ટ્રાક્ટરના અપહરણ અને હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે. ગુનામાં હજુ બે આરોપીઓ ફરાર છે. જેની પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ઉદયપુર લઈ જવાના બહાને ચાલતા વાહનમાં તેની હત્યા કરી લાશ રાજસ્થાનમાં ફેંકી દીધી હતી. 21 એપ્રિલ, 2023 ના રોજ નરોડા નજીક લ્યુબી કંપનીના લેબર કોન્ટ્રાક્ટર સુરેશ મહાજનનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી.લેબર કોન્ટ્રાક્ટના વિવાદમાં, આ ગુનાના આરોપી અને અન્ય કોન્ટ્રાક્ટરો રણજીત કુશવાહા, અરવિંદ મહતો, અનુજ પ્રસાદ અને સૂરજ પાસવાન હતા. અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી.21મીએ રાત્રે સુરેશ મહાજનને ઉદયપુર લઈ જવાના બહાને રાજસ્થાનના ખારપીની ગામ પાસે હથોડા વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.તમામ આરોપીઓ ફરાર હતા. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે અનુજ પ્રસાદની ધરપકડ કરી છે.
જો કે આ પહેલા અરવિંદ મહતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુરેશ મહાજન ગુમ થયાના 40 દિવસ બાદ અરવિંદની ધરપકડ કરવામાં આવી હતી અને તેની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટર રણજીત કુશવાહા, અનુજ પ્રસાદ અને સૂરજ પાસવાન હત્યા બાદ ફરાર થઈ ગયા હતા. જેમાંથી અનુજની ગઈકાલે બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે.જોકે આ ગુનાનો મુખ્ય આરોપી રણજીત ફરાર છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે. ધંધાકીય અદાવતમાં એકબીજાથી આગળ નીકળવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.જે અંતર્ગત હત્યાને અંજામ આપનાર તમામ આરોપીઓ અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા.જો કે 6 મહિનાની તપાસ બાદ બે આરોપી ઝડપાયા છે અને અન્ય બે આરોપીઓ ફરાર છે. જેની હજુ પોલીસ તપાસ કરી રહી છે. પરિવાર છેલ્લા 6 મહિનાથી ન્યાયની આશા સાથે પોલીસની રાહ જોઈ રહ્યો છે. પરિવારને ક્યારે ન્યાય મળશે તે મોટો પ્રશ્ન છે.