બનાસકાંઠામાં વરસાદી માહોલને કારણે અરવલ્લીના પહાડો અને દાંતા અને અંબાજી વિસ્તારના જંગલ વિસ્તારમાં ધોધ અને નાળા જીવંત થયા છે. જેના કારણે લોકો આ કુદરતી પ્રકૃતિને માણવા અને ઝરણા અને નાળાઓના ચોખ્ખા પાણીમાં ન્હાવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ધરતી માતા હરિયાળીથી ઢંકાયેલી હોય છે અને જાણે તેણે લીલો ઝભ્ભો પહેર્યો હોય તેવું લાગે છે. જેમાળ દાંતા, અંબાજી, બાલારામ, જેસોર સહિતની નદીઓ અને અરવલ્લીના પર્વતો ઉપરથી વહેતા ધોધ અને નાળાઓએ જંગલ અને પર્વતીય પ્રદેશમાં અદ્ભુત કુદરતી દ્રશ્ય સર્જ્યું છે.
પ્રકૃતિપ્રેમીઓ તેમના પરિવાર સાથે કુદરતી વાતાવરણનો આનંદ માણવા અરવલ્લીના પહાડો પર ઉમટી રહ્યા છે. જેમાં પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલ મુમનવાસ પાસે આવેલ પાણીયારી આશ્રમમાં ઝરણું વહી ગયું છે અને નાના બાળકો અહીં ન્હાતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત દાંતીવાડા નજીક આવેલ રાણીટુક ખાતે ધોધની મજા માણવા માટે દુરદુરથી મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ આવી રહ્યા છે.
પ્રકૃતિપ્રેમીઓ તેમના પરિવાર સાથે કુદરતી વાતાવરણનો આનંદ માણવા અરવલ્લીના પહાડો પર ઉમટી રહ્યા છે. જેમાં પાલનપુર-અંબાજી હાઇવે પર આવેલ મુમનવાસ પાસે આવેલ પાણીયારી આશ્રમમાં ઝરણું વહી ગયું છે અને નાના બાળકો અહીં ન્હાતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત દાંતીવાડા નજીક આવેલ રાણીટુક ખાતે ધોધની મજા માણવા માટે દુરદુરથી મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ આવી રહ્યા છે.