આરાસુરી અંબાજી કોલેજના ક્વાર્ટરમાં વીજળીનું મીટર ફાટ્યું. જેના કારણે મીટર અને આસપાસના વાયરો બળી ગયા હતા. મંદિર દ્વારા શ્રી આરાસુરી અંબાજી કોલેજની અંદરના ક્વાર્ટર્સમાં ભૂગર્ભ વીજ લાઈનો નાખવામાં આવી છે. ત્યારબાદ ક્વાર્ટરની નીચે મીટર અને વાયરોમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો. શોર્ટ સર્કિટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ સાથે જ વીજ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની વિદ્યુત વિભાગને જાણ કરવામાં આવતાં અંબાજી વીજ વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
અત્રે જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.
અત્રે જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.