ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના વતની સ્વ.ભીખાભાઈ મફાભાઈ દેવીપૂજકનું અકસ્માતના કારણે મૃત્યુ થયું હતું. ઊંઝા APMC અને ટીમ દ્વારા તેમના પરિવારના સભ્યોને 1,00,000/- (એક લાખ) અકસ્માત વીમા નાણાકીય સહાય તરીકે પ્રદાન કરવામાં આવ્યા હતા.
APMC ઊંઝા વિસ્તારમાં અકસ્માતે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 1 લાખનો ચેક આપે છે. ઊંઝા એપીએમસીએ પ્રશંસનીય કામગીરી કરીને ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ઊંઝા તાલુકામાં ઊંઝા ખાટીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા તમામને અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં કોઈ પણ આકસ્મિક અકસ્માતના કિસ્સામાં મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાનો ચેક આર્થિક સહાય અથવા વીમા હેઠળ લાભ તરીકે આપવામાં આવે છે. ચેરમેન દિનેશ પટેલની આગેવાની હેઠળ APMC દ્વારા ઊંઝા તાલુકાના અનેક ગામોમાં વિવિધ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને લાખો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા હંમેશા તત્પર રહીને પોતાની નૈતિક અને સામાજિક ફરજ નિભાવી છે.