(GNS) તા. 11
ગાંધીનગર,
સોમવારે ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા ગાંધીનગર મહાનગર પાલિકાના પંડિત દીનદયાળ ભવન ખાતે મેયર શ્રી હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મળી હતી.
આ સામાન્ય સભામાં નગરજનોની સુવિધામાં વધારો કરતા વિકાસના કામો સહિતના વિવિધ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
પૂ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પેપરલેસ કાર્ય – ડીજીટલ ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવા મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ તેમની મેયરની ગ્રાન્ટમાંથી સર્વે નગરસેવકોને ટેબલેટ આપ્યા હતા. બદલામાં ગૃહના સભ્યોએ મેયરનો આભાર વ્યક્ત કર્યો હતો.