(GNS),તા.15
ગીર સોમનાથ,
રાજ્યની ચેરિટી સિસ્ટમે દરેક જિલ્લામાં ચેરિટી ઇમારતો બનાવવા માટે પગલાં લીધાં છે જેથી ટ્રસ્ટીઓ લોક કલ્યાણ માટે આરામદાયક મકાનો બનાવી શકે અને તેમને શક્ય તેટલા સારા આશ્રયસ્થાનો અને સુવિધાઓ પૂરી પાડી શકે. જેના ભાગરૂપે તાજેતરમાં બોટાદ અને ગીર સોમનાથ ખાતે ચેરીટી કમિશનરની કચેરીઓનું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમ જોઈન્ટ ચેરીટી કમિશનર શ્રીની યાદીમાં જણાવાયું છે. યાદી મુજબ ગુજરાત સરકાર દ્વારા 11 જિલ્લામાં ચેરીટી બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. આ અંતર્ગત વેરાવળ (ગીર સોમનાથ), બોટાદ, મોડાસા (અરવલ્લી), સુરેન્દ્રનગર, ભુજ, લુણાવાડા, હિંમતનગર, મોરબી ખાતે જાહેર ટ્રસ્ટોની નોંઘણી કચેરીનું નિર્માણ કરવામાં આવશે. જોઈન્ટ ચેરિટી કમિશનર અને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર શ્રીની કચેરી, વડોદરા, રાજકોટ અને સુરત માટે બિલ્ડીંગ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. તેમ વધુમાં જણાવાયું છે.