વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ, ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં માઇ ભક્તો માત્ર રોડ માર્ગે જ અંબાજી આવી શકે છે, પરંતુ હવેથી માઇ ભક્તો રેલવે માર્ગે પણ અંબાજી આવી શકશે. સ્ટેશનના પ્રથમ તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે. હાલ ડુંગર હટાવી સ્થળ સમતળ કરવાની કામગીરી મશીનો વડે ચાલી રહી છે. થોડા દિવસો પહેલા આદિવાસી સમાજે રેલ્વે કામગીરી અટકાવી દીધી હતી અને હવે પોલીસની હાજરીમાં કામગીરી ચાલુ છે. આદિવાસી પરિવારો સરકાર પાસે જગ્યા અને વળતરની માંગ કરી રહ્યા છે.
નોર્થ વેસ્ટર્ન રેલવે અજમેર ડિવિઝન અને જયપુર ઝોન દ્વારા 175 કરોડના ખર્ચે અંબાજી નજીકના ચીખલા ખાતે રેલવે સ્ટેશન અને હોટલ સહિતની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. થોડા દિવસો પહેલા નજીકમાં રહેતા આદિવાસી સમાજના લોકો અને દાંતાના ધારાસભ્યએ કામ બંધ કરાવ્યું હતું. પરંતુ હવે ફરીથી અહીં રેલ્વે સ્ટેશનનું કામ શરૂ થયું છે. જેમાં પોકલેન અને જેસીબી મશીન વડે ટેકરી હટાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ ટી.એસ.મશીન વડે તપાસ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. બીજા તબક્કામાં રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ થશે અને ત્રીજા તબક્કામાં ટ્રેક નાખવાનું કામ શરૂ થશે અને છેલ્લા તબક્કામાં ચોથા તબક્કાનું ઉદ્ઘાટન થશે.