ન્યૂઝ ડેસ્કઃ તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની BRSને ચૂંટણી પહેલા ઝટકો લાગ્યો છે. ચેવેલાના વર્તમાન સાંસદ રંજીથ રેડ્ડી અને ધારાસભ્ય ડી નાગેન્દ્ર રવિવારે BRS છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની હાજરીમાં બંને નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
રંજીથ રેડ્ડીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું. “હું મારા તમામ સમર્થકો અને લોકોને જણાવવા માટે લખી રહ્યો છું કે મેં BRS પાર્ટીને રાજીનામું આપવાનો ઔપચારિક પત્ર સુપરત કર્યો છે. મને મળેલી તક અને મારી સેવામાં આપેલા સમર્થન બદલ હું BRS પાર્ટીનો આભાર માનું છું.
કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા પર રેવંત રેડ્ડીએ કહ્યું કે, અમે પાર્ટીના અન્ય નેતાઓ માટે દરવાજા ખોલ્યા છે. અન્ય એક સાંસદ પસુનુરી દયાકર વારંગલ શનિવારે સત્તાધારી કોંગ્રેસમાં જોડાયા હતા. અગાઉ ઝહીરાબાદ અને નાગરકર્નૂલના બીઆરએસ સાંસદ બી. બી. પાટીલ અને પી. રામુલુ ભાજપમાં જોડાયા હતા.