વાવ તાલુકાના ગોલગામમાં રહેતા કરશનભાઈ કુંભાભાઈ સોલંકીએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ થરાદ શાખામાંથી વાહન પર લોન લીધી હતી. આરોપી કરશનભાઇ સોલંકીએ રૂ.9,31,000ની બાકી રકમ ભરવા માટે આપેલો ચેક રીટર્ન થયો હતો. આ અંગે થરાદ શાખાના કલેક્શન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, પાલનપુરે વાદીના વકીલ જયેશ.બી.ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી કરશનભાઈ કુંભાભાઈ સોલંકીને કલમ હેઠળ ગુનો કરવા બદલ 1 (એક) વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. . નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138. જેમાં ચેકની રકમ ન ચુકવવા બદલ 6 માસની વધારાની સજાનો હુકમ કરાયો હતો.