બિપરજોય ચક્રવાત દરમિયાન વીજળી બોર્ડે પ્રશંસનીય કામ કર્યું હતું. પરંતુ ત્યારે થરાદના અનેક વિસ્તારોમાં લાઈટીંગને લગતી સમસ્યાઓ સામે આવી રહી છે. શિવનગરના મુખ્ય માર્ગ પર એક પોલમાં ખામી સર્જાતા આજે બપોરે તે પોલમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આ દ્રશ્ય જોઈ લોકોમાં ભય ફેલાયો હતો. દરમિયાન એક જાગૃત નાગરિકે જીઇબીને ફોન કરતાં આ લાઇન બંધ કરાવી હતી. સદનસીબે આ ફોલ્ટ દરમિયાન કોઈ નુકસાન થયું ન હતું. થરાદ ગઢવીવાસમાં પણ રાત્રી દરમિયાન કાયમી લાઈટ કટ હોય છે. જેના કારણે ત્યાંના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે ત્યાંના રહીશોએ જીઇબીને લેખિત આવેદનપત્ર પણ આપ્યું છે. જો કે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.