કોલંબો. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને એશિયા કપ સુપર ફોરની પાકિસ્તાન સામેની મેચમાં પીઠની જકડના કારણે સામેલ કરવામાં આવ્યો નથી. અય્યરને અગાઉ લીગ રાઉન્ડની મેચમાં સ્થાન મળ્યું હતું. પીઠની સર્જરીના કારણે અય્યર લાંબા સમય સુધી ટીમની બહાર હતો પરંતુ તેને એશિયા કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અનુસાર, ‘આજે પ્રી-મેચ પ્રેક્ટિસ દરમિયાન અય્યરને તેની પીઠમાં જકડાઈ ગઈ.
અય્યરની બાદબાકીના કારણે કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાહુલે આ મેચમાંથી લાંબા સમય બાદ વાપસી કરી છે. IPLમાં ઈજાગ્રસ્ત થયા બાદથી તે રમતથી દૂર હતો. આ પછી તેણે જાંઘની સર્જરી પણ કરાવી. અય્યર અને રાહુલ બંનેનો પણ વર્લ્ડ કપ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ દ્વારા તેમની ફિટનેસની ચકાસણી કરવામાં આવશે.