Fintech ફર્મ BharatPe એ તેના પેમેન્ટ્સ અને લેન્ડિંગ યુનિટના સિનિયર મેનેજમેન્ટમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. કંપનીએ સંદીપ ઈન્દુરકરને પેમેન્ટ વર્ટિકલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે બઢતી આપી છે – રેસિલિએન્ટ પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. ઈન્દુરકર અગાઉ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર, બેન્કિંગ અને એલાયન્સ હતા. આ ઉપરાંત, BharatPe યુનિટ Jillion (અગાઉ પેબેક ઈન્ડિયા)ના સીઈઓ રાજીશ રાઘવન હવે કંપનીના ડિવાઈસ બિઝનેસનો હવાલો સંભાળશે. હવે કન્ઝ્યુમર ક્રેડિટ સેક્ટરના વડા કોહિનૂર બિસ્વાસ જિલિયનની બાગડોર સંભાળશે.
આ ત્રણ સિનિયર એક્ઝિક્યુટિવ્સ BharatPeના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને વચગાળાના CEO નલિન નેગીને રિપોર્ટ કરશે. જોકે, મર્ચન્ટ એપ વર્ટિકલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ફેરફારો પર ટિપ્પણી કરવા માટે BharatPe ને મોકલવામાં આવેલ ઈમેલનો કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
નાણાકીય વર્ષ 23માં કામગીરીમાંથી કંપનીની આવક 182 ટકા વધીને રૂ. 904 કરોડ થઈ હતી, જ્યારે કર પહેલાંની ખોટ આ સમયગાળા દરમિયાન રૂ. 5,594 કરોડથી ઘટીને રૂ. 886 કરોડ થઈ હતી. કંપનીના મતે ટેક્સ પહેલાંની ખોટ 5594 કરોડ રૂપિયાથી ઘટાડીને 886 કરોડ રૂપિયા કરવી એ મોટો સુધારો છે.
BharatPe એ ઓક્ટોબર 2023 માં તેનો પ્રથમ ઓપરેટિંગ નફો નોંધાવ્યો હતો. ‘કંપનીએ હકારાત્મક EBITDA હાંસલ કરવા માટે તેના EBITDA બર્નમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે – જે FY23માં દર મહિને સરેરાશ રૂ. 60 કરોડ હતો.’
BharatPeએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના લોન સેગમેન્ટમાં સતત વૃદ્ધિ કરી છે. ઓક્ટોબરમાં, તેણે તેના NBFC ભાગીદારો સાથે ભાગીદારીમાં તેના વેપારીઓ માટે રૂ. 640 કરોડથી વધુની લોનની સુવિધા આપી હતી, જે વાર્ષિક ધોરણે 36 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.