(GNS),17
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં નવા પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ ભરાયો છે. આજે 23 ડેમના દરવાજા ખોલીને 9.70 મીટર પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી નદીમાં 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને નર્મદા નદીના વખાણ કર્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. વૈશ્વિક નેતા અને આપણા પ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. આજે નર્મદા ડેમ 138.68 મીટરની ક્ષમતા સાથે ઓવરફ્લો થયો છે. આજે નરેન્દ્રભાઈની દૂરંદેશી અને સંકલ્પશક્તિના કારણે નર્મદા ડેમની મજબૂતાઈ વધી છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની પાણીની સપાટી 31 ફૂટે પહોંચી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાને અસર થવાની શક્યતા છે. પૂરની સ્થિતિના કારણે કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
દાહોદ અને વડોદરાના કરનાળીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે. પાણીની આવક વધવાના કારણે પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોનું અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. કરજણના નર્મદા કાંઠા વિસ્તારના કેટલાક એલર્ટ થયેલા ગામોમાંથી 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કરજણ એસડીએમ આશિષ મિયાત્રા અને કરજણ પીઆઈ ભરવાડ સહિતની પોલીસ ટીમ સ્થળાંતરની કામગીરીમાં લાગેલી છે.