ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ અષ્ટમી એટલે કે જન્માષ્ટમીના રોજ થયો હતો. તેનો તહેવાર પરંપરાગત કૃષ્ણ મંદિરોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી પર્વની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આખું મંદિર વિવિધ રંગોથી ઝળહળી ઉઠ્યું છે. આખા મંદિરમાં ચમક જોવા મળી રહી છે. શામળાજી મંદિરને ખાસ લેસર લાઈટોથી ઝળહળતું કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શામળીયાના દર્શન કરવા દૂર-દૂરથી લોકો, વૃદ્ધો અને યુવાનો ઉમટી પડે છે. ત્યારે ભક્તોને દર્શન માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ ન ઉઠાવવો પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આઈસોલેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.