(GNS),તા.01
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 108 સ્થળોએ એક સાથે સૌથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે દરેકને સૂર્ય નમસ્કારને તેમની દિનચર્યાનો એક ભાગ બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો કારણ કે તેના પુષ્કળ ફાયદાઓ છે.
વડા પ્રધાને પોસ્ટ કર્યું હતું
વડા પ્રધાને કહ્યું હતું કે, “ગુજરાતએ વર્ષ 2024નું એક નોંધપાત્ર સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે – 108 સ્થળોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરવા માટે સૌથી વધુ લોકોનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે! આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. આ સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો પણ સમાવેશ થાય છે, જ્યાં કેટલાક લોકો ભેગા થયા હતા. આ ખરેખર યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું તમને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા માટે પણ વિનંતી કરું છું. તેના ફાયદા અપાર છે.”