કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર લાવી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડી શકાય છે. નાણા પરની સ્થાયી સમિતિએ આરોગ્ય વીમા પર જીએસટી ઘટાડવાની ભલામણ કરી છે.
ભારત સરકાર તમામ નાગરિકો માટે ઘણી યોજનાઓ લઈને આવી છે. જેના કારણે સરકાર દ્વારા સામાન્ય લોકોને અનેક લાભો આપવામાં આવે છે. આમાં કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે ઘણા નિર્ણયો લીધા છે. જેના દ્વારા અનેક બેઠકો યોજવામાં આવી રહી છે. વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડવા માટે ચર્ચા ચાલી રહી છે. એવો પણ અંદાજ છે કે GST દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા પર લાગતો GST ઘટાડી શકાય છે. નાણા પરની સ્થાયી સમિતિએ આરોગ્ય વીમા પર જીએસટી ઘટાડવાની ભલામણ કરી છે. GST દર 18% થી ઘટાડીને 12% કરવામાં આવી શકે છે. વીમા કંપનીઓ અને હેલ્થકેર પ્રોવાઈડર્સ જીએસટીમાં ઘટાડો કરવા દબાણ કરી રહ્યા છે. 7 ઓક્ટોબરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠકમાં આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. જો GST ઘટશે તો તેનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણી રાહત મળશે.
તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની 52મી બેઠક 7 ઓક્ટોબર 2023ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં વીમા પર જીએસટી પર ચર્ચા થઈ શકે છે. એવી માહિતી પણ છે કે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર પણ ચર્ચા થઈ શકે છે.