રાજ્યભરમાં યાત્રાધામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરનો પણ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી ખાતે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી અને આસપાસના વિસ્તારોમાં પણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરમાં યાત્રિકો સરળતાથી અને કોઈપણ અગવડ વગર માતાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સુવિધાઓ અને વિકાસના કારણે યાત્રિકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી ટેમ્પલ ટ્રસ્ટની સુવિધાની પણ યાત્રાળુઓ પ્રશંસા કરી રહ્યા છે. માતા જગતની અંબાના ચરણોમાં નમન કરીને ધન્યતા અનુભવી રહી છે.
અંબાજી નજીકના ગબ્બર પર્વત પર અંબાજી મંદિર સહિત અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિરો છે જ્યાં શ્રદ્ધાળુઓ એક જગ્યાએ 51 શક્તિપીઠ મંદિરોની મુલાકાત લઈ શકે છે. અંબાજી ગબ્બર પર્વત પર ત્રણ કિલોમીટર લાંબો લોખંડનો શેડ પણ બનાવવામાં આવી રહ્યો છે. જેથી કરીને ભક્તો દિવસ-રાત 51 શક્તિપીઠોમાં વન્ય પ્રાણીઓના ભય કે ડર વગર દર્શન કરી શકે. આ ત્રણ કિલોમીટર લાંબા લોખંડના શેડમાં અદ્ભુત લાઈટો લગાવવામાં આવશે જેથી યાત્રિકો માતાજીના દર્શનની સાથે સાથે અદ્દભુત રોશનીનો આનંદ માણી શકે.અંબાજી નજીક કોટેશ્વર મહાદેવ અને રિછડિયા મહાદેવનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ મંદિરોના વિકાસ અને સુવિધાઓ માટે કાર્યરત છે. અંબાજીમાં સરકાર દ્વારા અનેક વિકાસના કામો પણ કરવામાં આવી રહ્યા છે અને સરકાર અંબાજીમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કરી રહી છે. સાથે સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ પણ અંબાજી અને અંબાજી મંદિર સાથે સંકળાયેલા પેટા મંદિરોમાં વિકાસ કાર્યો કરી રહ્યા છે.