ગુજરાતનો પ્રખ્યાત વૌઠા લોકમેળો આજથી શરૂ થયો છે
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
23મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી લોકમેળો યોજાશે
લોકમેળાનું આપણા સામાજિક જીવનમાં ઘણું મહત્વ છેઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
(GNS),તા.23
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમના કિનારે આવેલા વૌઠા ગામમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ખૂબ જ પ્રખ્યાત લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો સપ્તનદી સંગમ ખાતે સ્નાન કરવા આવે છે અને ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પવિત્ર થાય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીરે ધીરે બદલાયું છે.
ગુજરાતનો આ પ્રખ્યાત વૌઠા લોક મેળો આજથી એટલે કે 23મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કર્યું હતું.