અરવલ્લીના ગિરિમાળામાં આવેલું મા જગતજનનું અંબા ધામ વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે મા અંબાના આ ધામ સુવર્ણ મંદિર તરીકે પણ પ્રખ્યાત છે. માતા અંબાના ચરણોમાં માથું નમાવવા અને માતાજીના આશીર્વાદ લેવા દેશ-વિદેશમાંથી ભક્તો અંબાજી આવ્યા છે. દરરોજ ભક્તો અંબાજી આવે છે અને અંબાના ચરણોમાં માથું નમાવી ધન્યતા અનુભવે છે. મા અંબાના મંદિરમાં વર્ષમાં ઘણી વખત માતાજીને પ્રસાદ ચઢાવવામાં આવે છે. ત્યારે આજે બપોરે મા અંબાના જ મંદિરે માતાજીને ભોગ ધરાવવામાં આવ્યા હતા.
આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં મા જગદંબાને 56 અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સિદ્ધપુરના ભક્તોએ આજે માતાજીને 56 ભોગનો અન્નકૂટ અર્પણ કર્યો હતો. ત્યારબાદ અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. માતાજીની અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ મા અંબાના મંદિર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.