દરેક વ્યક્તિ જાણે છે કે નારંગી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે અને ચહેરાને યુવાન અને ગ્લોઈંગ રાખે છે અને બ્લેકહેડ્સ ઘટાડવા ક્લીંઝર અને સ્ક્રબનું પણ કામ કરે છે. તમે તેની છાલનો ઉપયોગ કરીને વધુ ફાયદા મેળવી શકો છો.
આજે અમે તમને જણાવીશું કે નારંગીની છાલનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે આપણી ત્વચાને ચમકદાર બનાવી શકીએ છીએ.
નારંગીની છાલનું સ્ક્રબ:
નારંગીની છાલને સૂકવીને તેનો ઝીણો પાવડર બનાવી લો.
તેમાં થોડું પાણી અને દહીં મિક્સ કરીને સ્ક્રબ બનાવો.
આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, જેથી ત્વચાના મૃત કોષો દૂર થઈ જાય.
નારંગીની છાલનો ફેસ માસ્ક:
નારંગીની છાલને સૂકવીને પીસી લો.
તેમાં મધ અથવા દહીં ઉમેરીને પેસ્ટ બનાવો.
આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રાખો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.
નારંગી છાલ ટોનર:
નારંગીની સૂકી છાલને થોડા દિવસો સુધી પાણીમાં પલાળી રાખો.
બાદમાં આ પાણીનો ઉપયોગ ટોનર તરીકે કરો, જેને તમે કુદરતી રીતે સુંદરતા વધારવા માટે ચહેરા પર લગાવી શકો છો.
નારંગીની છાલ એક્સ્ફોલિયેટર:
છીણેલા નારંગીના પાવડરમાં સમાન માત્રામાં ચંદન પાવડર અને અખરોટ પાવડર મિક્સ કરો.
તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો.
આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો અને એક્સફોલિએશન કરો.