શ્રી રવિભાન સાહેબ ગુરુગાદી – કહાનવાડી ખાતે આયોજિત નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકારે વિકસિત ગુજરાતના નિર્માણ અને વિકસિત ભારતના નિર્માણ માટે 25 વર્ષનો રોડ મેપ તૈયાર કર્યો છે.
વડાપ્રધાને સમગ્ર દેશને વિરાસતની સાથે વિકાસનો આદેશ આપ્યો છે.
મોદી સાહેબના ગેરંટી રથ દ્વારા વિકસિત ભારત યાત્રા દરમિયાન યોજનાનો લાભ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવ્યો છે.
લોકોની જરૂરિયાતોને સમજીને સરકાર દરેક ગામ અને શહેરનો સુઆયોજિત વિકાસ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
ગુજરાતમાં વિકાસની લહેર ચાલી રહી છે, વડાપ્રધાનની હાજરીમાં એક સપ્તાહમાં ગુજરાતને 1.10 લાખ કરોડના કામો થયા છે.
વિકાસના કામો નાનામાં નાના ગામડાઓ સુધી પહોંચે, છેવાડાના લોકો સુધી પહોંચે અને તે તમારા સુધી પહોંચે તેવી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે.
કહાનવાડી ખાતેથી આણંદ જિલ્લાને રૂ.106.21 કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
(GNS),તા.03