ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના વ્યવસ્થા તંત્રમાં સગવડોના અભાવ વચ્ચે ગેરવ્યવસ્થાનો મુદ્દો ઉઠાવતા – વિનોદચંદ્ર દિક્ષિત ?!
જે. જે. પટેલ ૩૦૦૦ થી ૫૦૦૦ એકડા સાથે જીતશે ?! કાઉન્ટ ડાઉન્ટ શરૂ ?! -જુના જોગીઓની હાર-જીત કર્તવ્ય કર્મ પર નિર્ભર છે ?!
“વકીલો માટે પાણી પીવાની વ્યવસ્થા પણ નહોતી”! ગુજરાત બાર કાઉન્સિલે રૂ. ૧ લાખ ૨૫ હજાર ફી કર્યા પછી પણ વકીલોને પાણી ના આપ્યું ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની યોજાયેલ ચૂંટણીની છે ! અમદાવાદ શહેરની ગુજરાત યુનિર્વિસટીમાં આવેલ અટલ કલામ ના પટાંગણની છે ! જેમાં શ્રી જે. જે. પટેલ, નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશ સાંખલા અને શ્રી જે. જે. પટેલના ટેકેદારો મતદાન મથક પર વકીલોનો સંપર્ક કરી મત માંગી રહ્યાં છે ! આ તેમની ટીમની વિનમ્રતા અને વકીલોના પાયાના કાર્યકર તરીકેનો અહેસાસ કરાવ્યો હતો ! તેની આ બોલતી તસ્વીર છે !
બીજી તસ્વીર વકીલો મતદાન કરવા આવતા ઘસારો થતાં અવ્યવસ્થા સર્જાઈ હતી તેની છે ! જયારે છેલ્લી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલમાં અભૂતપૂર્વ પ્રચાર કરી જીત મેળવવાની સંભાવના છે ! એવા ઉમેદવારોની છે ! જેમાં ડાબી બાજુની તસ્વીર શ્રી પરેશભાઈ જાની, બીજી તસ્વીર શ્રી પરેશભાઈ વાઘેલાની છે ! ત્રીજી તસ્વીર જીગ્નેશભાઈ પટેલની છે ! ચોથી તસ્વીર શ્રી મનીષાબેન પરીખની છે !
પાંચમી તસ્વીર શ્રીમતી વૈશાલીબેન ભટ્ટની છે ! છઠ્ઠી તસ્વીર શ્રી ભરતભાઈ ભગતની છે ! સાતમી તસ્વીર શ્રી અનિલભાઈ કેલ્લાની છે ! અને આઠમી તસ્વીર આફતાબભાઈ અન્સારીની છે ! જેઓની જીતવાની સંભાવના છે ! કારણ કે આખરી તબકકામાં પ્રચારનો ચક્રવ્યુહ અનોખો હતો જે કામિયાબ થશે તો જીતશે ?! બાકી તો વકીલોની સુઝ અને સમજ ઉપર તેમની હાર જીતનો મદાર છે ?????!!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકન ઈન્ટરનેટ ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ અને લેખક માર્ક બેનિઓફ કહે છે કે, “યોગ્ય કર્મચારીની પરસંદગીનું રહસ્ય ઃ જે લોકો દુનિયા બદલવા માંગતા હોય એમની શોધ કરો”!! જયારે અમેરિકન વૈજ્ઞાનિક જે. રોબર્ટ ઓપન હેમર કહે છે કે, “કુદરતના વિશ્વમાં કશું જ ગોપનીય નથી, એ તો માણસના વિચારો જ છે જેને કોઈ કળી શકતું નથી”!! માનવ જાતની ગુણવત્તા સુધારવાનો સમય આવ્યો છે ! કારણ કે દુનિયામાં માનવી હવે ફકત પોતાની માટે જીવે છે !
સત્તા માટે જીવે છે ! અથવા પૈસા માટે જીવે છે ! તમે કોઈપણ ક્ષેત્રના નેતાઓ જુઓ આજ કામ કરે છે ?! પરિણામે સમગ્ર વિશ્વના લોકો ગંભીર સમસ્યાઓનો અને પડકારો વચ્ચે જીવે છે ! છતાં માનવી સુધરતો નથી ! આ બ્રહ્માંડ ઈશ્વર સર્જીત છે ! કર્તવ્ય કર્મ એ ધર્મ છે ! મૂલ્યનિષ્ઠા, માનવતા અને સંવેદનશીલતાથી પૃથ્વીને જીવવા લાયક બનાવવી કોઈને ભાવના નથી ! આવું જ વકીલાતના વ્યવસાયમાં જોવાય છે !
વકીલોની માતૃ સંસ્થા ગુજરાત બાર કાઉન્સિલ છે ! તેમાં વિદ્વાન, શ્રેષ્ઠ, આદર્શવાદી, અદ્દભૂત સેવાભાવી વકીલ ઉમેદવારોને ચૂંટવા નથી ! ન્યાય ક્ષેત્રના અને વકીલાતના વ્યવસાયિક ક્ષેત્રના પ્રશ્નો હલ કઈ રીતે થશે ?! અમદાવાદ શહેરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સમયે સર્જાયેલી અવ્યવસ્થા અને આયોજનમાં કથિત ખામી આજ માનસિકતાનો ભાગ છે કે શું ?!
અમદાવાદ શહેરમાં યોજાયેલ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલોને પડેલી મુશ્કેલીનો આર્તનાદ રજૂ કરતા ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્ર દિક્ષીત કહે છે કે, આયોજનમાં અભૂતપૂર્વક ખામી કઈ રીતે રહી ગઈ ?!
બ્રિટીસ વડાપ્રધાન શ્રી વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે”!! ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્ય અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ અને જાણીતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીશ્રી જેમણે વકીલાતના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે એવા પ્રખર ગાંધીવાદી વકીલ નેતા શ્રી વિનોદચંદ્ર દિક્ષીતે ગુજરાત યુનિર્વિસટીના અટલ કલામ કન્વેશન હોલ ખાતે ગુજરાત બાર કાઉન્સિલની યોજાયેલ ચૂંટણીને અવ્યવસ્થાનો અભૂતપૂર્વ અખાડો અને શરમજનક આયોજન ગણાવી આકરી ટીકા કરી છે !!

