Øપોલિયો મુક્ત ગુજરાતની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ2025માં24.65લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા
Ø“ટીકા એક્સપ્રેસ“, “મોબાઇલ મમતા દિવસ”અને“ખિલખિલાટ વાહન”જેવા માધ્યમોના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ શક્ય બન્યું
Øઓરી–રુબેલા નાબૂદી માટેIDSPઅનેVSIMSસિસ્ટમ દ્વારા પ્રાપ્ત રિયલ–ટાઇમ ડેટાનો ઉપયોગ
Øગુજરાતમાં28ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપીHPVરસીકરણ અભિયાનનો પ્રારંભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા માતા અને શિશુ આરોગ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપી છે. તેમના આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે. રાજ્યમાં ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ સુદ્રઢ બન્યો છે,જેથી માતાઓ અને બાળકોને સુરક્ષાનું એક વ્યાપક કવચ મળી રહ્યું છે. ગુજરાત સરકારની આ નિરંતર અને અસરકારક પહેલોના પરિણામે,વર્ષ2025-26દરમિયાન11.30લાખથી વધુ શિશુઓ અને24લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.
સ્વસ્થ બાળપણ,સુરક્ષિત ભવિષ્ય: ગુજરાતના રાજ્યવ્યાપી અભિયાનના પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા
ગુજરાતના સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ એપ્રિલથી ફેબ્રુઆરી (2025-26)દરમિયાન રાજ્યમાં એક વર્ષ સુધીના11લાખ30હજારથી વધુ શિશુઓને સંપૂર્ણ રસીકરણ કવરેજ આપવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 11લાખ94હજારથી વધુ બાળકોને બીસીજી રસી, 11લાખ59હજાર બાળકોને પેન્ટાવેલેન્ટ (ડીપીટી-હેપેટાઇટિસ-બી-હિબ) રસી અને11લાખ24હજાર બાળકોને ઓરી-રુબેલા રસી આપવામાં આવી હતી.
તેવી જ રીતે,શિક્ષણ અને આરોગ્ય વિભાગના સંકલનથી શાળા અને બાલવાટિકા આધારિત રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ10અને16વર્ષના વિદ્યાર્થીઓને શાળાઓમાં રસી આપવામાં આવી,જ્યારે વર્ષ2025માં5વર્ષના બાળકોને બાલવાટિકાઓમાં ડીપીટીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. આ બંને શ્રેણીઓમાં છેલ્લા એક વર્ષમાં24લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, 2007થી ગુજરાતની પોલિયો મુક્ત રાજ્યની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ2025માં પણ રાજ્ય સરકાર દ્વારા14જિલ્લાઓમાં વિશેષ અભિયાન ચલાવીને0થી5વર્ષની વયના24.65લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકાર “ટીકા એક્સપ્રેસ,” “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન”ના માધ્યમથી રસીકરણની આ વિવિધ પહેલોને લાગુ કરે છે,જેના માધ્યમથી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહોંચાડવામાં આવી રહી છે.
“સ્વસ્થ નારી,સશક્ત પરિવાર” પખવાડિયું:3.50લાખથી વધુ બાળકો અને1.24લાખથી વધુ મહિલાઓનું સફળ રસીકરણ
સ્વસ્થ મહિલા-સશક્ત સમાજના મંત્રને ચરિતાર્થ કરવા માટે,રાજ્ય સરકારે17સપ્ટેમ્બરથી2ઑક્ટોબર2025સુધી યોજાયેલા “સ્વસ્થ નારી,સશક્ત પરિવાર” પખવાડિયા દરમિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય પર કેન્દ્રિત એક ખાસ રસીકરણ અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત3લાખ58હજારથી વધુ બાળકો અને1લાખ24હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી. આ ઉપરાંત,સગર્ભા સ્ત્રીઓને એન્ટીનેટલ (પ્રસૂતિ પહેલાંની) તપાસ દરમિયાન ટેટનસ-ડિપ્થેરિયા રસી,જ્યારે બાળકોનેBCG,પેન્ટાવેલેન્ટ,ઓરી-રુબેલા,ન્યૂમોકોકલ,ઇન્જેક્ટેબલ પોલિયો,ઓરલ પોલિયો અને રોટાવાયરસની રસીઓ આપવામાં આવી.

