(એજન્સી)અમદાવાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની ત્રિદીવસીય અખીલ ભારતીય પ્રતીનીધી સભા ર૦ર૬ હરીયાણાના સમાલખામાં સંપન્ન થઈ જેમાં રાષ્ટ્ર હિતના વિવિધ મુદે મંથન કરાયું હતું. આરએસએસની સ્થાપનનો ૧૦૦ વર્ષ પુરા થઈ રહયા છે.
ત્યારે દેશભરમાં ગૃહ સંપર્ક અભીયાન શરૂ કરાયું હતું. જેમાં કાર્યકરોએ કુલ ૧૦.૦ર કરોડ પરીવારનો સંપર્ક કરી તેમની સાથે રાષ્ટ્રના ઉત્થાન માટે ચર્ચા કરી હતી.
જેમાં પપ હજાર મુસ્લીમ પરીવારો અને પ૪ હજાર ખ્રિસ્તી પરીવારોનો પણ સંપર્ક કરાયો હતો. હરીયાણામાં યોજાયેલી પ્રતીનીધી સભાની માહિતી આપતા ગુજરાત પ્રાંતના સંઘચાલક ડો. ભરત પટેલે જણાવ્યું હતંકે, પ્રીતીનીધી સભામાં વિવિધ મુદા પર ચર્ચા થઈ હતી. વર્તમાન વર્ષે સંત શિરોમણી રવીદાસજીના ૬પ૦માં પ્રાગટય વર્ષ નીમીત્તે વિશેષ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે.
ડો. પટેલે વર્તમાન સમયમાં દેશમાં ચાલી રહેલી શાખાની પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે હાલ સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. જેમાં કાર્યકરોએ દેશમાં ૧૦.૦ર કરોડ પરીવારો સાથે સીધો સંવાદ કર્યો છે. આ ઉપરાંત દેશમાં હાલ ૮૮૯૪૯ દૈનિક શાખા ૩ર૬૦૬ સાપ્તાહીક મિલન સભા ૧૩,ર૧૧ સંઘ મંડળી કાર્યરત છે. દેશમાં સંઘ અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા ૯૮૦૪પ સેવા કાર્યો ચાલી રહયા છે.
ગુજરાતમાં ૧૬૧૦ દૈનિક શાખા ૧ર૭૦ સાપ્તાહીક મીલન તથા ૧૧૩૩ સંઘ મંડળી કાર્યરત છે. આ શાખાઓમાં ૬૦ ટકા વિધાર્થીઓ અને ૪૦ ટકા વ્યવસાયીક શાખાઓનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે.
અત્યાર સુધી ગુજરાતમાં સંઘનું કામ ગુજરાત પ્રાંત અને સૌરાષ્ટ્ર પ્રંત એમ બે ભાગમાં વહેચાયેલું હતું. પરંતુ હવે ભૌગોલીક સુધારા સાથે ત્રણ સંભાગની રચના કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર સંભાગ, ઉત્તર ગુજરાત સંભાગ અને દક્ષીણ ગુજરાત સંભાગની રચનાની જાહેરાત કરાશે.

