ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તા.ર૯ એપ્રિલના રોજ સાંજના ૬ઃ૩૦ વાગ્યા સુધી ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ
ગાંધીનગર, ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં એÂક્ઝટ પોલ અને ઓપિનિયન પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ ગુજરાતમાં તા.ર૯ એપ્રિલ ર૦ર૬ના રોજ એÂક્ઝટ પોલ પર પ્રતિબંધ તેમજ ૧૧૧ ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, સ ૧૯પ૧ની કલમ ૧ર૬(ક)ની પેટાકલમ (૧)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (ર)ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે તા.૯-૦૪-ર૦ર૬ને ગુરૂવારના સવારે ૭ઃ૦૦ વાગ્યાથી તા.ર૯-૦૪-ર૦ર૬ને બુધવારે સાંજના ૬ઃ૩૦ વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એÂક્ઝટ પોલ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે.
સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓને ભંગ કરનારને ર વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બન્નેની સજા થઈ શકે છે.
આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ઓપિનિયન પોલ સંદર્ભે ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઈલેકટ્રોનિક મીડિયા કોઈપણ ઓપિનિયન પોલ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

