શકિતસિંહ, નરહરિ અમીન, રામ મોકરિયા અને રમીલા બારાની ૬ વર્ષની ટર્મ ર૧ જૂને પૂરી થશે
ગુજરાતની રાજયસભાની કોંગ્રેસની એક અને BJPની ત્રણ સીટ જૂનમાં ખાલી થશે
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતની રાજયસભાની ચાર સીટ ર૧મી જુને ખાલી થઈ રહી છે. કોગ્રેસના એકમાત્ર સભ્ય શકિતસિંહ ગોહીલ તથા ભાજપના ત્રણ સભ્યો નરહરી અમીન રમીલાબેન બારા અને રામ મોકરિયાની ૬ વર્ષની ટર્મ પુરી થઈ રહી છે. રાજયસભાની આ ચાર બેઠકોની ચુંટણીના સંદર્ભમાં જુનના પ્રથમ પખવાડીયામાં વિધાનસભાનું ટુંકું સત્ર યોજાઈ શકે છે.
ચાર બેઠકો માટે જો ઈલેકશન થાય તો ફોર્મયુલા મુજબ ૩૮નો કવોટા નકકી થઈ શકો મહ¥મ પ્રત્યેક ઉમેદવાર જીત માટે ૩૮ વોટ મેળવવા પડે. કોગ્રેસની નીતી પ્રમાણે દરેક સીનીયર રાજયસભાના સાંસદને બે ટર્મ આપવામાં આવે છે.
એટલે પ્રથમ ટર્મ પુર્ણ કરનારા શકિતસિંહ પાર્ટીમાં બીજી ટર્મ માટે ઉમેદવારી મેળવવા હકદાર છે. પરંતુ કોગ્રેસના વિધાનસભામાં માત્ર ૧ર સભ્યો હોઈ શકિતસિહની આ ચુંટણીઓ ફરી ઉમેદવારી એમને ફરી રાજયસભામાં મોકલવામાં હોય તો એમની પાર્ટીઓ એમને અન્ય રાજયમાંથી ઉમેદવારી કરાવવી પડે છે. હાલના રાજકીય સંજોગોમાં શકય જણાતું નથી.
બીજી તરફ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૬રનું હોઈ આ વખતે એ ચારે બેઠકો આસાનીથી પ્રથમ પ્રેકરરવીન્યલ વોટમાં જ મેળવી શકે એવી સ્થિતી છે. આ સંજોગોમાં જો ભાજપ આ ચુંટણીમાં માત્ર ચાર જ ઉમેદવારો ઉભા રાખશે તો તે એ બધાં બિનહરીફ થઈ જશે. અને એ સ્થિતીમાં ચુંટણી યોજવાની સ્થિતી ના આવે. આ ચાર બેઠકો જીત્યા બાદ કદાચ પહેલીવાર રાજયની રાજયસભાની તમામ ૧૧ બેઠકો ભાજપના અખત્યારમાં આવી જશે.
રાજયસભા માટે ભાજપની નીતી જરૂરીયાત તથા નેતાના કદ આધારીત રહી છે. પરીણામે ભાજપને જરૂર હોય તેવાં જ નેતાઓને અત્યાર સુધી ગુજરાત ભાજપમાંથી રીપીટ કરાયા છે. આ પરીપ્રેક્ષ્યમાં રામ મોકરીયા અને રમીલા બારાને ફરી ઉમેદવારી મળવાની શકયતા બહુ ઘુંધળી છે. જયારે સાંસદ નરહરી અમીન બીજા ટર્મ મેળવવા પોતાની અનિવાર્યતા પુરવાર કરવી પડશે.

