અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી અને કિફાયતી સુવિધા આપવાના હેતુથી અમદાવાદ અને પટણા વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનને હવે નિયમિત કરી ‘અમૃત ભારત એક્સપ્રેસ’ (Amrut Bharat Express) તરીકે સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અમદાવાદ મંડળથી ઉપડનારી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ હશે, જે ગુજરાત અને બિહાર વચ્ચેના રેલ જોડાણને નવી ઊંચાઈ પર લઈ જશે.
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, આ ટ્રેન સાપ્તાહિક ધોરણે નીચે મુજબના સમયપત્રક સાથે દોડશે:
આ ટ્રેન તેના લાંબા પ્રવાસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મહત્વના શહેરોને જોડશે. માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, આગ્રા, ટૂંડલા, ગોવિંદપુરી અને દીન દયાલ ઉપાધ્યાય જંકશન જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે.
અમૃત ભારત એક્સપ્રેસ એ ખાસ કરીને સામાન્ય મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ સેવા શરૂ થવાથી બિહાર અને ગુજરાત વચ્ચે વસતા શ્રમિકો, વેપારીઓ અને પ્રવાસીઓને સીધી કનેક્ટિવિટી મળશે. આનાથી માત્ર મુસાફરી જ સરળ નહીં બને, પરંતુ બંને રાજ્યો વચ્ચે વેપાર અને રોજગારના અવસરોમાં પણ વધારો થશે.

