રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી – પાંચમો પદવીદાન સમારોહ
Øયુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર
Øડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી છે
Øસુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી,પરંતુ સાયબર સુરક્ષા,ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણ
Øસાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગ
Ø*યુવા શક્તિ દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં જોડાય*
Ø*સમર્પણ,તપસ્યા અને બલિદાનની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની પોતાનું કર્તવ્ય પૂર્ણ કરો*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને વ્યક્તિગત ઉન્નતિ કે વિકાસનું નહીં પણ સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો પ્રભાવી આધાર માને છે:મુખ્યમંત્રી શ્રી
*રાષ્ટ્રની સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી,પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્વના: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ સહીત વિવિધ વિદ્યાશાખાના સ્નાતક,અનુસ્નાતક અને પીએચ.ડી.ના કુલ562વિદ્યાર્થીઓને પદવી એનાયત
રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા,રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ખાતે આજે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના ગરિમામય અધ્યક્ષસ્થાને પાંચમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

